1. Home
  2. ગુજરાતી
  3. ગૃહ મંત્રી અમિત શાહનો વિપક્ષને પડકાર, ”તાકાત હોય તો રામ મંદિરનું નિર્માણ કાર્ય રોકી બતાવે”
ગૃહ મંત્રી અમિત શાહનો વિપક્ષને પડકાર, ”તાકાત હોય તો રામ મંદિરનું નિર્માણ કાર્ય રોકી બતાવે”

ગૃહ મંત્રી અમિત શાહનો વિપક્ષને પડકાર, ”તાકાત હોય તો રામ મંદિરનું નિર્માણ કાર્ય રોકી બતાવે”

0
Social Share
  • ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યાની લીધી મુલાકાત
  • આ દરમિયાન ગૃહ મંત્રીએ વિપક્ષને પડકાર ફેંક્યો
  • તાકાત હોય તો મંદિરનું નિર્માણ રોકી બતાવો

નવી દિલ્હી: યુપીની ચૂંટણી આગામી વર્ષે થવા જઇ રહી છે ત્યારે અત્યારે દરેક રાજકીય પક્ષો આ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અત્યારે ગૃહ મંત્રી અમિત શાહ અયોધ્યાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રામ મંદિર નિર્માણ સમિતિના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. સૌથી પહેલા તેમણે હનુમાન ગઢીમાં દર્શન કર્યા હતા અને પછી રામ મંદિરમાં દર્શન કર્યા હતા. તેમણે મંદિરના નિર્માણ કાર્યની જાણકારી પણ મેળવી હતી.

આ દરમિયાન અમિત શાહે વિપક્ષી પાર્ટીઓને પડકાર ફેંક્યો છે કે, રામ લલાનું મંદિર બની રહ્યું છે અને પૂરજોશમાં બની રહ્યું છે. જો તાકાત હોય તો રોકી બતાવો. કોઇનામાં મંદિર બનતુ રોકવાનો દમ નથી.

સંબોધન દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, વર્ષો સુધી શ્રી રામના જન્મસ્થાન માટે સંઘર્ષ ચાલ્યો છે. સેંકડો લોકોએ રામ મંદિર માટે બલિદાન આપ્યું છે. 75 વર્ષ પહેલા સરદાર પટેલે સોમનાથ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો અને 75 વર્ષ બાદ પીએમ મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ રામ મંદિર ના બને તે માટે અનેક પ્રયાસો કર્યા છે. આમ છતાં આજે પૂરજોશમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

નોંધનીય છે કે, આ પહેલા રામ જન્મભૂમિ ટ્રસ્ટ દાવો કરી ચુકયુ છે કે, 2023 પહેલા મંદિરના પહેલા તબક્કાનુ કામ પુરુ થઈ જશે. એ પછી મંદિર ભાવિકો માટે ખોલી નાંખવામાં આવશે. સાથે સાથે અહીંયા એક એરપોર્ટ બનાવાઈ રહ્યુ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code