
જમ્મુ-કાશ્મીર: કુપવાડા અને કુલગામમાં એન્કાઉન્ટર,સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા
- કુપવાડા અને કુલગામમાં એન્કાઉન્ટર
-
સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા
- સર્ચ ઓપરેશન શરુ
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને કુલગામ જિલ્લામાં રવિવારે સુરક્ષા દળો સાથેની બે અલગ-અલગ અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.પોલીસના જણાવ્યા અનુસાર કુપવાડામાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે કુલગામમાં પણ બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે હજુ પણ કેટલાક આતંકીઓ છુપાયેલા છે અને ઓપરેશન ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, કુપવાડામાં માર્યા ગયેલા એક આતંકવાદીની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ છે, જે લશ્કર-એ-તૈયબા સાથે સંબંધ ધરાવતો હતો, જ્યારે બીજાની ઓળખ મેળવવામાં આવી રહી છે.
કાશ્મીર ક્ષેત્રની પોલીસે ટ્વિટ કર્યું કે સર્ચ દરમિયાન, વિવિધ સ્થળોએ છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો, જેનો સુરક્ષા દળોએ જવાબ આપ્યો અને આ અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો.પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે કરવામાં આવી છે, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.
કુમારે ટ્વિટ કર્યું, “ધરપકડ કરાયેલા આતંકવાદી સાથે, આ એન્કાઉન્ટરમાં વધુ બે-ત્રણ આતંકવાદીઓ ફસાયા છે.”પોલીસે બાદમાં કહ્યું કે કુપવાડા એન્કાઉન્ટરમાં વધુ એક આતંકવાદી માર્યો ગયો અને એન્કાઉન્ટર હજુ શરુ છે. પોલીસનું કહેવું છે કે દક્ષિણ કાશ્મીરના કુલગામના દમહાલ હાંજી પુરા વિસ્તારમાં બીજુ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને હજુ સુધી બંને તરફથી કોઈ જાનહાનિના અહેવાલ નથી.