
અમદાવાદઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે તા.18મીને મંગળવારે પુષ્યનક્ષત્ર હોવાથી સોના-ચાંદી, નવા વાહનો તેમજ ચિજ-વસ્તુઓ ખરીદવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રનાં શુભ મુહૂર્ત પર સોના–ચાંદી સાથે ચોપડાની ખરીદી થશે,
આજે પુષ્ય નક્ષત્ર હોવાથી લોકો સોના–ચાંદી સહિત ચિજ-વસ્તુઓની તેમજ વેપારીઓ ચોપડાની ખરીદી કરશે. દીપોત્સવને આવકારવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષના સૌથી મોટા ગણાતા તહેવાર દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યો છે. ઘણીબધી ખનાગી કંપનીઓમાં બોનસ પણ ચૂકવાઈ જતાં લોકો પણ આજથી ખરીદી શરૂ કરશે. અમદાવાદના ત્રણ દરવાજા, ગાંધીરોડ, માણેક ચોક સહિતના વિસ્તારોમાં આવેલી બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. આ વર્ષ દિવાળીનાં બીજા દિવસે સુર્યગ્રહણ હોવાથી એક દિવસ બાદ નૂતનવર્ષની ઉજવણી થશે. એકંદરે એક દિવસ ધોકો તરીકે મનાવાશે. કોરોનાકાળ બાદ આ વર્ષે લોકો નવી ઉર્જા–ઉત્સાહના સંચાર સાથે દિપોત્સવ પર્વ મનાવશે.
કર્મકાંડી પંડિતોના જણાવ્યા મુજબ આસો વદ–8ને મંગળવાર તા.18-10-2022ના રોજ આખો દિવસ અને રાત્રે પણ પુષ્યનક્ષત્ર છે. સવારના ચોઘડીયા ચલ 9.30 થી 11.05, લાભ 11.05થી 12.30 , તેમજ બપોરના ચોઘડીયા: અમૃત 12.32થી 1.58 સુધી, શુભ 3.25 થી 4.52 સુધી, રાત્રીના ચોઘડીયા લાભ 7.52થી 9.25 સુધી, શુભ 11થી 12.32 સુધી. ચોપડા ખરીદવા ઓર્ડર આપવા માટે શુભ દિવસ છે. સુવર્ણ, રજત, શ્રીયંત્ર, કુબેર યત્રં ખરીદવા માટે શુભ દિવસ છે. આસો વદ–12ને શનિવાર તા. 22-10 2022ના દિવસે ધનતેરસ છે. આ વરસે વાઘબારસના દિવસે ધન તેરસ છે. ચોપડા ખરીદવા, ગાદી બિછાવવા અને લક્ષ્મીપુજન માટે શ્રેષ્ઠ સમય છે. ધંન્વતરી પૂજન સાયંકાળે રાત્રીના કરવાનું મહાત્મ્ય છે. આસો વદ–13ને રવિવાર તા. 23-10 2022ના દિવસે કાળી ચૌદશ છે રાત્રીના હનુમતં પૂજન, કાળભૈરવ પૂજન, બટુકવીર પૂજન, કાલીપૂજા, મશીનરીનું પૂજન કરવું. વિક્રમ સંવત 2078 આસો વદ ચૌદશ સોમવાર તા.24-10-2022ના શુભ દિવસે દિવાળી છે. કારતક સુદ એકમ બુધવાર તા. 26-10-2022 સ્વાતિ નક્ષત્ર આનદં નામ સંવત્સર, નૂતન વર્ષારભં થાય છે.