1. Home
  2. ગુજરાતી
  3. નવરાત્રીમાં માતાજીને શા માટે નવ દિવસ અલગ અલગ રંગોના પરિઘાન ઘારણ કરવામાં આવે છે,જાણો અહી તેનું મહત્વ
નવરાત્રીમાં માતાજીને શા માટે નવ દિવસ અલગ અલગ રંગોના પરિઘાન ઘારણ કરવામાં આવે છે,જાણો અહી તેનું મહત્વ

નવરાત્રીમાં માતાજીને શા માટે નવ દિવસ અલગ અલગ રંગોના પરિઘાન ઘારણ કરવામાં આવે છે,જાણો અહી તેનું મહત્વ

0
Social Share

નવરાત્રીનો પાવન પર્વ હવે શરુ થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે નવતાર્ની તડામાર તૈયારીઓ ઠેર ઠેર શરુ કરવામાં આવી રહી છે.નવરાત્રીના નવ દિવસ નવ રુપમાં માતાજીની ારાઘના ઉપાસના કરવામાં આવે છે,આ નવ દિવસ દરમિયાન માતાજીને અલગ અલગ રંગોના વસ્ત્ર ઘારણ કરાવવામાં આવે છે,તો ચાલો જાણીએ માતાજી જે નવ રંગના વસ્ત્રો ઘારણ કરે છે તે રંગોનું શું મહત્વ છે.

હિન્દુ ઘર્મ પ્રમાણે નવે નવ દિવસના જૂદા જૂદા રંગોનું ખાસ મહત્વ રહેલું છે, તો આજે વાત કરીશું કે આ નવ રંગ ક્યા ક્યા છે, અને ક્યા રંગના કપડા ક્યારે પહેરવા જોઈએ અને તેના પાછળનું કારણ શું છે.આ તહેવાર ભક્તિ અને આસ્થા સાથે રંગો સાથે ખાસ સંબંધ ધરાવે છે

પ્રથમ નોરતું

નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો માતા શૈલપુત્રીની પૂજા કરે છે. આ પ્રથમ દિવસે પીળા રંગનું મહત્વ છે, આ દિવસે તમે પીળા રંગની સાડી કે વસ્ત્ર પરેહીને નવરાત્રીન મજા માણી શકો છો કારણ કે આ રંગ શુભ ગણાય છે.

બીજુ નોરતું

નવરાત્રીના બીજા દિવસે લીલા રંગનું ખાસ મહત્વ છે, આ દિવસે તમે લીલા રંગના કપડા પહેરી શકો છો,અને માતાજીના દર્શન કરી શકો છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે, એટલા માટે લીલો રંગ માટે શુભ ગણાય છે.
ત્રીજુ નોરતુ

નવરાત્રીનો ત્રીજો દિવસ એટલે દુર્ગાની પુજાનો દિવસ, માતાનું સ્વરૂપ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. હળવો વાદળી રંગ આ દિવસે મહત્વ ધરાવે છે.આ રંગના કપડા પહેરવામાં આવે તો તે ઘણુ શુભ હોય છે.

ચોથુ નોરતું

નવરાત્રીનો ચોથો દિવસ એટલે ગરબાની રમઝટ જામી ચૂકી હોય છે, ઉત્સાહ અનેરો જોવા મળે છે. આ દિવસે માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ખાસ નારંગી રંગનું મહ્તવ છે તમે આ રંગ પહેરીને ગરબા કરશો તો શુભ ગણાય છે.

પાંચમું નોરતું

પાંચમાં દિવસે આદ્યશક્તિના પાંચમાં સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવી હોય છે. ખાસ દિવસે સફેદ રંગનું મહત્વ રહંલું છે.

છઠ્ઠું નોરતું

દુર્ગા માતાને હંમેશાથી આપણે લાલ રંગના વસ્ત્રોમાં સજેલા ધજેલા જોયા છે, કારણ કે આ લાલ રંગ માતાની શક્તિનું પણ પ્રતીક છે. આ દિવસે માતા કાત્યાનીની પૂજા કરવામાં આવે છે.તમે પણ લાલ રંગ પહેરી શકો છો

સાતમું નોરતું

આ સાતમા દિવલસે ખાસ દુર્ગા માતાના એક સ્વરૂપ કાલરાત્રિ કે કાલિકા રૂપે પૂજાય છે. આ દિવસે તમે વાદળી રંગના વસ્ત્રો પહેરાય છે.

આઠમું દિવસ

આઠમી નવરાત્રીને અષ્ટ્મી તરીકે પણ મનાવવામાં આવે છે. ભક્તજનો ખૂબ જ ઉત્સાહ સાથે અષ્ટ્મીની પૂજા-અર્ચના કરે છે. મહાગૌરી માતાની આ દિવસે પૂજા કરવામાં આવે છે.આ દિવસે ખાસ કરીને ગુલાબી રંગ શુભ ગણવામાં આવે છે.

નવમું નોરતું

આ નવ દિવસના મહાપર્વમાં આદ્યશક્તિના નવ સ્વરૂપોની ઉલ્લાસભેર અને ઇત્સાહભર પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, છેલ્લો દિવસ હોવાથી ખેલૈયાઓ મન મૂકીને ઝુમી ઉઠે છે,આ છેલ્લા દિવસે ક સિદ્ધદાત્રી માતાની પૂજા કરવામાં આવી હોય છે. જે માનો લક્ષ્મી અવતાર કહેવાય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code