1. Home
  2. ગુજરાતી
  3. ભારત-નેપાળ સરહદ પર બનશે બે નવા મોટર બ્રિજ , વિદેશ મંત્રાલયની મંજુરી
ભારત-નેપાળ સરહદ પર બનશે બે નવા મોટર બ્રિજ , વિદેશ મંત્રાલયની મંજુરી

ભારત-નેપાળ સરહદ પર બનશે બે નવા મોટર બ્રિજ , વિદેશ મંત્રાલયની મંજુરી

0
Social Share

દિલ્હીઃ- ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે, બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં વધુ બે મોટર બ્રિજ બનાવવામાં આવશે. આ બંને પુલ ઉત્તરાખંડ બોર્ડર પર બનાવવામાં આવશે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે તેમના બાંધકામ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. PWD સચિવ ડૉ. પંકજ કુમાર પાંડેએ આ વાતની પુષ્ટિ કરી છે.

જેમાંથી પહેલો બ્રિજ ભારત-નેપાળ બોર્ડર પર ઝુલાઘાટ ખાતે અને બીજો શિરશા ખાતે બનાવવામાં આવશે. હાલનો ઝુલાઘાટ પુલ પિથોરાગઢથી લગભગ 38 કિમીના અંતરે છે. આ કાલી નદી પર બનેલો નાનો પુલ છે. ઉત્તરાખંડ અને નેપાળના લોકો આ પુલ દ્વારા સાયકલ કે મોટરસાઈકલ પર એકબીજાની સરહદમાં પ્રવેશ કરે છે.

ઉલ્લેખનીય છે કે જૂનમાં જ્યારે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ભારતની ભવ્ય મુલાકાતે આવ્યા હતા ત્યારે આ બે મોટર બ્રિજના નિર્માણ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવામાં આવી હતી

તે દરમિયાન પીએમ મોદીએ પ્રચંડને મોટર બ્રિજ બનાવવાનું આશ્વાસન આપ્યું હતું. વિદેશ મંત્રાલયે આ અંગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. બંને મોટર બ્રિજના નિર્માણથી નેપાળ અને ભારત વચ્ચેની વેપાર પ્રવૃતિઓને મજબૂતી મળશે. સ્થાનિક લોકોની આજીવિકાના સાધનોમાં વધારો થશે.

નેપાળે દિલ્હી વચ્ચેની વેપાર પ્રવૃત્તિઓ માટે ગોરખપુરથી ઓછું અંતર કાપવું પડશે. આનાથી સમય અને પૈસાની બચત થશે. ઉત્તરાખંડના પિથોરાગઢ અને ચંપાવત ક્ષેત્રમાં નેપાળથી લોકોની અવરજવર વધશે, જેનાથી આ ક્ષેત્રની વ્યાપાર અને પર્યટન પ્રવૃત્તિઓને વેગ મળશે. નેપાળ સાથે ભારતના સંબંધોને મજબૂત કરવાની સાથે મોટર બ્રિજ પાડોશી દેશ ચીન માટે પણ એક સંદેશ હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code