1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓએ પોલીસના ટેન્ક બેઝ પાસે બ્લાસ્ટ, 3ના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓએ પોલીસના ટેન્ક બેઝ પાસે બ્લાસ્ટ, 3ના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓએ પોલીસના ટેન્ક બેઝ પાસે બ્લાસ્ટ, 3ના મોત

0
Social Share

પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો વિસ્ફોટ થયો છે. આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વામાં પોલીસને નિશાન બનાવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે. આ સિવાય 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સામેલ છે. આ વિસ્ફોટ ડેરા ઈસ્માઈલ ખાનના સ્થાનિક બજારમાં જિલ્લાના ટેન્ક બેઝ પાસે થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિસ્ફોટક સામગ્રી એક મોટરસાઇકલમાં લગાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, ઘણા ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટનો અવાજ ખૂબ જ જોરદાર હતો અને આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ખૈબર પખ્તુનખ્વામાં દરરોજ આતંકવાદી હુમલા થાય છે અને ટાર્ગેટ પર પોલીસકર્મીઓ હોય છે. તાજેતરની ઘટના અંગે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, પોલીસ વાન પણ આ હુમલાનું નિશાન બની શકે છે. પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, “અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ અને આ પાછળના ગુનેગારોની ધરપકડ કરવામાં આવશે,”

પાકિસ્તાનના એક સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે, કાયદા અમલીકરણ એજન્સીઓના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ ગયા વર્ષે નવેમ્બરમાં સરકાર સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત કર્યા પછી, પાકિસ્તાનમાં ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે. ખૈબર પખ્તુનખ્વા તહરીક તાલિબાન પાકિસ્તાનનો ગઢ માનવામાં આવે છે, જેઓ વારંવાર પાકિસ્તાન પોલીસને નિશાન બનાવીને હુમલા કરે છે. જો કે, આજે થયેલા હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code