1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી
ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

0
Social Share

અમદાવાદઃ ગાંધીનગર ખાતે આવેલા વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરની મુલાકાત ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સે લીધી હતી. ગાંધીનગર અને અમદાવાદની બે દિવસની મુલાકાતે ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સ આવ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનએ આજે અક્ષરધામ મંદિર ખાતે આવ્યા હતા.  અક્ષરધામ મંદિરના પૂજ્ય વિશ્વવિહારી સ્વામી (કોઠારી સ્વામીજી)એ તેમનું સ્વાગત કર્યું હતું. અને અક્ષરધામ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે તેમનું સ્વાગત મનીષ પટેલ અને જાગૃત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાનએ અક્ષરધામ મંદિરની મોડેલ રૂમની મુલાકાત લઇ સમગ્ર સંપ્રદાયનો વિશેષ પરિચય મેળવ્યો હતો. તેમજ અક્ષરધામ મંદિર અને આ સંસ્થાના વિવિધ કાર્યો વિશે પણ માહિતી અક્ષરધામ મંદિરના મનીષ મિસ્ત્રી દ્વારા તેમને આપવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન પીટરે નીલકંઠ વર્ણી અભિષેક મંડપ માં પણ દર્શનાર્થે ગયા હતા. તેમજ અક્ષરધામ મંદિરમાં પૂજા અર્ચના કરી દર્શન કર્યા હતા. તેમણે સમગ્ર સંકુલ સાથે ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code