1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં કોરોનાના વધુ 14,296 કેસ નોંધાયાઃ 157ના મોત

ગુજરાતમાં કોરોનાના વધુ 14,296 કેસ નોંધાયાઃ 157ના મોત

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસ વધતા જાય છે. છેલ્લા 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 14, 296 નવા કેસ નોંધાયા છે. જ્યારે 157 દર્દીના મોત થયા હતા. અને  6,727 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. કોરોનામાં મૃતાંક વધતો જાય છે આ સાથે જ રાજ્યમાં 8 દિવસમાં 1000થી વધુ દર્દીના મોત થયા હતા. રિક્વરી રેટ પણ ઘટીને 75.54 ટકા થયો છે. સતત 26મા દિવસે આજે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસ પણ 1 લાખને પાર થઈને 1,15,006 થઈ ગયા છે.

રાજ્યમાં કોરોનાનો બીજો સ્ટેઈન ઘાતક બની રહ્યો છે. 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 27, સુરત શહેરમાં 26, વડોદરા શહેરમાં 11, રાજકોટ શહેરમાં 8, જામનગર શહેરમાં 8, વડોદરા જિલ્લામાં 7, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં 6-6, સાબરકાંઠામાં 5, બનાસકાંઠા, મહેસાણા, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ભરૂચમાં 4-4, કચ્છ અને ભાવનગર શહેરમાં 3-3, ગાંધીનગર શહેર, જૂનાગઢ શહેર, વલસાડ, અમરેલી અને અમદાવાદ જિલ્લામાં 2-2 દર્દીના મોત થયા છે. જ્યારે બોટાદ, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, મહીસાગર અને સુરત જિલ્લામાં 1-1ના મોત થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ કેસ અમદાવાદમાં 5790, સુરત શહેરમાં 1690, અને જિલ્લામાં 413, વડોદરા શહેરમાં 573, અને  જિલ્લામાં 187, રાજકોટ શહેરમાં 608, અને જિલ્લામાં 68, ભાવનગર શહેરમાં 212, અને જિલ્લામાં 167, જામનગર શહેરમાં 388, અને જિલ્લામાં 286, ગાંધીનગર શહેરમાં 161, અને જિલ્લામાં 128, જુનાગઢ શહેરમાં 131, અને જિલ્લામાં 120, કેસ નોંધાયા હતા આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 196, કચ્છમાં 180, મહેસાણામાં 598, ગીર સોમનાથ જિલ્લામાં 115, ભરૂચમાં 117, મહિસાગરમાં 156, દાહોદમાં 182 કેસ નોંધાયા હતા

 

 

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code