1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ એક્ટર વરુણ ધવન નતાશા સાથે લગ્નના બંધનમાં બંધાશે- 22 થી 26 જાન્યુઆરી સુધી ચાલશે રિત-રસમ
બોલિવૂડ એક્ટર વરુણ ધવન નતાશા સાથે લગ્નના બંધનમાં બંધાશે-  22 થી 26 જાન્યુઆરી સુધી ચાલશે રિત-રસમ

બોલિવૂડ એક્ટર વરુણ ધવન નતાશા સાથે લગ્નના બંધનમાં બંધાશે- 22 થી 26 જાન્યુઆરી સુધી ચાલશે રિત-રસમ

0
Social Share
  •  એક્ટર વરુણ ધવન નતાશા સાથે લેશે સાત ફેરા
  • 22 થી 26 જાન્યુઆરી સુધી રિત-રશમ ચાલશે 

મુબંઈઃ-વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલના થનારા લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે, હમણાં સુધી, ખબરો વહેતી થઈ હતી કે, આ મહિનાના અંત સુધીમાં વરૂણ અને નતાશા અલીબાગમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે વરૂણ અને નતાશાના લગ્નની  તારીખ હજુ ટોક્કસ સામે આવી નથી.પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન લગ્નની વિધિ કરવામાં આવશે જેમાં પરિવાર અને નજીકના મિત્રો બંને શામેલ હાજર રહેશે.

મળતી માહ્તી પ્રામણે વરૂણના નજીકના સંબંધીઓને પણ લગ્ન માટે ઇ-આમંત્રણ મળ્યું છે. આવી સ્થિતિમાં, કોઈ એવી અપેક્ષા કરી શકે છે કે ધવન પરિવારના ઘણા સેલેબ્સ અને સંબંધીઓ ટૂંક સમયમાં અલીબાગ જઇ રહ્યા છે. ડેવિડ ધવનનો નાનો પુત્ર વરુણ ધવન શાનદાર લગ્ન કરવા જઇ રહ્યો છે. જે પંજાબી લગ્ન હશે જેમાં તમામ વિધિઓ કરવામાં આવશે.

વરુણ અને નતાશા દલાલ ઇચ્છે છે કે કોરોના મહામારીને જોતા ઓછા લોકો લગ્નના કાર્યક્રમમાં હાજર રહે. એવા પણ સમાચાર છે કે આ લગ્નમાં 200 જેટલા લોકોને આમંત્રણ અપાયું છે. વરૂણ અને નતાશા 5-દિવસીય ફંક્શનમાં 24 કે 25 જાન્યુઆરીએ લગ્ન કરી શકે છે. જો કે, લગ્નની ચોક્કસ તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી.

વરુણે એક નિવેદનમાં કહ્યું હતું કે તે આ વર્ષે લગ્ન કરશે

ઉલ્લેખનીય છે  કે, વરૂણ અને નતાશાના લગ્નના સમાચારો લગભગ 2 વર્ષથી ચર્ચામાં રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાને કારણે વરુણ નતાશા સાથે લગ્ન કરી શક્યો નહીં. એક મુલાકાતમાં વરુણે કહ્યું કે, ‘છેલ્લાં 2 વર્ષથી દરેક લોકો મારા લગ્નની વાતો કરી રહ્યા છે. હજી કંઈ નક્કી નથી કરાયું. જો બધુ ઠીક થશે તો હું આ વર્ષે લગ્ન કરીશ. ‘

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code