1. Home
  2. ગુજરાતી
  3. અભિનેતા રાજકુમાર રાવ અને ક્રિતી સનેન ફરી સ્ક્રિન શેર કરતા જોવા મળશેઃ અપકમિંગ ફિલ્મ ‘હમ દો હમારે દો’ ઓટીટી પર થશે રિલીઝ
અભિનેતા રાજકુમાર રાવ અને ક્રિતી સનેન ફરી સ્ક્રિન શેર કરતા જોવા મળશેઃ અપકમિંગ ફિલ્મ ‘હમ દો હમારે દો’ ઓટીટી પર થશે રિલીઝ

અભિનેતા રાજકુમાર રાવ અને ક્રિતી સનેન ફરી સ્ક્રિન શેર કરતા જોવા મળશેઃ અપકમિંગ ફિલ્મ ‘હમ દો હમારે દો’ ઓટીટી પર થશે રિલીઝ

0
Social Share
  • ક્રિતી સનેન અને રાજ કુમાર રાવ સાથે જોવા મળશે
  • તેમની અપકમિંગ ફઇલ્મ હશે હમ દો હમારે દો
  • આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે

મુંબઈઃ ફિલ્મી દુનિયામાં ખૂબ જ ટૂંક સમયમાં પોતાનું નામ બનાવનાર રાજકુમાર રાવ હવે અક જાણીતા સ્ટાર્સ બની ગયા છે તેમએ ઘણી ફિલ્મો કરી છે અને ઘણી ફિલ્મો લવઈને આવી રહ્યા છે,આ સાથે જ અભિનેત્રી ક્રિતી સનેન પણ એજ લાઈનમાં આવે છે કે જેણે નાની વયે અને ઓછા સમયમાં પોતાની પશાનદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીત્યા હો.ય ત્યારે હવે આ બન્ને સ્ટાર્સ ફરીથી તેમની અપકમિંગ ફિલ્મ હમ દો હમારે જોમાં જોવા મળશે.

આ પહેલા તેઓ બરેલી કી બર્ફી માં સાથે જોવા મળ્યા હતા ,ત્યારે હવે હમ દો હમારે દો ફિલ્મ  રેડી થી ચૂકી છે અને ફિલ્મના નિર્માતા દિનેશ વિજને તેની રિલીઝકરવા બાબતે એક મોટો ખુલાસો પણ કરી દીધો છે.

ફિલ્મને રિલીઝ કરવા બાબતે ફિલ્મના નિર્માતા દિનેશ વિજન ઓટીટી પર ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી છે,તેમની અપકમિંગ ફિલ્મ ‘હમ દો હમારે દો’ થિયેટરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પરરિલીઝ કરવામાં આવશે તેવું તેમણે પોતે જ જણાવ્યું હતું

ફિલ્મ નિર્માતાના આ નિર્ણયને લઈને માનવામાં આવી રહ્યું છે કે, હાલની સ્થિતિને જોતા  થિયેટરોમાં કોવિડને કારણે હાલ પણ દર્શકોની સંખ્યા ઓછી જોવા મળે છે તેથી મેકર્સ ઈચ્છે છે કે ફિલ્મ યોગ્ય કિંમતે વેચીને ઓટીટી રિલીઝ કરવામાં આવે જેથી ફિલ્મને સારા એવા દર્શકો મોટી સંખ્યામાં મળી રહે .ઉલ્લેખનીય છે કે દિનેશ વિજન તેવા નિર્માતોમાં સામેલ છે કે જેમણે કોરોનાની સ્થિતિમાં પણ પોતાની ફિલ્મ રુહી ઓટીટી પર રિલીઝ કરી હતી અને જેને સારો પ્રતિસાદ મળ્યો નહોતો.આ ફિલ્મ પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી જો કે કોરોનાના કારણે શક્ય નહોતું બન્યું નહોતું

હમ દો હમારે દોની ફિલ્મની કહાનિ હશે કંઈ આવી

હમ દો હમારે દો એક એવા કપલની વાર્તા છે કે જેઓ   માતા-પિતાને ગોદ લેવા માંગે છે. ફિલ્મ કોમેડિથી ભરપુર તો હશે જ સાથે સાથે એક નવા વિચારને પ્રેરિત કરશે ,કારણ કે બાળકને દત્તક લેવું એ વાત આજે સામાન્ય બની છે પણ જો કોઈ મા બાપને ગોદ લે તો તે વાત નવીનતા સર્જે છે.આ સાથે જ એકલા પડેલા મા બાપને ઓલાદનું સુખ પ્રાપ્ત થાય છે, ત્યારે આ ફિલ્મમાં પણ આવી જ કહાનિ જોવા મળશે.ફિલ્મમાં રત્ના પાઠક શાહ અને પરેશ રાવલ મહત્વની ભૂમિકા માં જોવા મળશે. અભિષેક જૈન ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે અને દિનેશ વિજન પ્રોડ્યુસ કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code