1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર મહિનામાં એક મિલિયન પ્રવાસીઓનું આવાગમન
અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર મહિનામાં એક મિલિયન પ્રવાસીઓનું આવાગમન

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર મહિનામાં એક મિલિયન પ્રવાસીઓનું આવાગમન

0
Social Share

અમદાવાદઃ શહેરના  સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ  એરપોર્ટ ટ્રાફિકમાં જબરો વધારો થઈ રહ્યો છે. એરપોર્ટ પર  આવતા અને એરપોર્ટ પરથી જનારા પ્રવાસીઓ સંખ્યામાં ઉત્તરરોત્તર વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષમાં માત્ર એક જ મહિનાની અંદર એક મિલિયનથી વધુ મુસાફરોએ આવાગમન કર્યું હતુ. સતત પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. એરપોર્ટની સુવિધાઓ અને તેની આધુનિકતા પણ પ્રવાસીઓને પસંદ પડી રહી છે. પ્રવાસીઓ વધતા ઈન્ટરનેશનલ વિમાની સેવામાં પણ દારો થઈ રહ્યો છે.
અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જે પ્રમાણે આવાગમન કરનારા મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જ રીતે ટ્રાફિકને પહોંચી વળવા માટે અહીંની સુવિધાઓ, સલામતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરુરી સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. ઉત્તમ સુવિધાઓ અને ઉન્નત એર કનેક્ટિવિટીને જોતા એરપોર્ટ મુસાફરોની પહેલી પસંદ બની રહ્યું છે.  તાજેતરમાં જ એરપોર્ટ પર ડોમેસ્ટિક ટર્મિનલના સિક્યોરિટી ચેક વિસ્તારમાં વધારો કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ટર્મિનલની બહાર નવો કન્ટેનર રિટેલ વિસ્તાર અને ડ્રોપ-ઓફ લેન કરતા પ્રવાસીઓની ક્ષમતા અને સગવડોમાં વધારો કરવામાં આવ્યો છે. ડોમેસ્ટિક ટર્મિનલમાં લેવલ-1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયા (SHA)માં વધારો થવાથી મુસાફરોને 1800 SQM કરતા પણ વધારે મોકળાશની જગ્યા મળશે.

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મુસાફરોને ત્વરિત અને સીમલેસ પ્રોસેસિંગનો અનુભવ મળી રહે તે માટે ડોમેસ્ટિક પ્રસ્થાનમાં સાત ઈ-ગેટ લગાવવામાં આવ્યા છે. ફક્ત હેન્ડબેગ સાથે મુસાફરી કરનારા મુસાફરો પણ વેબ ચેક-ઈન કરાવી શકે છે, બોર્ડિંગ પાસ મેળવવા તેઓ પ્રસ્થાન સમયને ઓછો કરવા માટે સેલ્ફ-ચેક-ઈન મશીનનો ઉપયોગ પણ કરી શકે છે. એરપોર્ટ પર આવતા મુસાફરોને અન્ય સ્થળ પર જવા માટે મુશ્કેલી ના પડે તે માટે સતત એરપોર્ટ સાથે જોડવા એરલાઈન્સ ડાયરેક્ટ કે વાયા ફ્લાઈટ્સ ઉમેરીને નવા સ્થળો ઉમેરતી રહે છે. જેના કારણે SVPI એરપોર્ટ અનેક નવા ગંતવ્ય સ્થળો સાથે જોડવામાં આવ્યું છે. આ સાથે હૈદરાબાદ, ઈન્દોર, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ અને લખનૌ જેવા મોટા શહેરોને અમદાવાદ સાથે જોડતી ફ્લાઈટ્સમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ઉનાળુ સમયપત્રકના અમલીકરણ બાદ SVPI એરપોર્ટ નવ સ્થાનિક અને 17 આંતરાષ્ટ્રીય એરલાયન્સ સાથે 39 ડોમેસ્ટિક અને 19 આંતરાષ્ટ્રીય સ્થળોને જોડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code