અજય દેવગણની ફિલ્મ ‘મેદાન’ આવતા વર્ષે આ દિવસે થશે રીલીઝ
- ‘મેદાન’ આવતા વર્ષે દશેરા પર થશે રીલીઝ
- અજય દેવગણે નવા પોસ્ટરની સાથે કરી ઘોષણા
- ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2021 થી થશે શરૂ
અજય દેવગણે તેની આગામી ફિલ્મ મેદાન માટે નવી રીલીઝ ડેટની ઘોષણા કરી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, હવે આ ફિલ્મ આવતા વર્ષે રીલીઝ થશે. આ સાથે એકટરે ફિલ્મનું નવું પોસ્ટર પણ શેર કર્યું છે. અગાઉ ‘મેદાન’ દેશની આઝાદીની ઉજવણીના બે દિવસ પહેલા 13 ઓગસ્ટ 2021 ના રોજ રીલીઝ થવાની હતી. આ ફિલ્મની રીલીઝ ડેટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ પહેલા રીલીઝની તારીખ 27 નવેમ્બર 2020 અને પછી 11 ડિસેમ્બર 2020 નક્કી કરવામાં આવી હતી.
અજય દેવગણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, મેદાન હવે વર્લ્ડવાઇડ થિયેટરમાં દશેરા 2021 પર રીલીઝ થશે. તેનું શૂટિંગ જાન્યુઆરી 2021 થી શરૂ થશે.
આ ભાષાઓમાં થશે રીલીઝ
મેદાનને અમિત રવિન્દ્રનાથ શર્મા ડાયરેકટ કરી રહ્યા છે. અમિતે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બધાઈ હો’ નું ડિરેક્શન પણ કર્યું છે અજયની ફિલ્મ હિન્દી સિવાય તમિલ,તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં પણ રીલીઝ કરવામાં આવશે.
આ ફિલ્મ દિવંગત સૈયદ અબ્દુલ રહીમના જીવન પર બનાવવામાં આવી છે
મેદાન એક ફૂટબોલ ડ્રામા છે. જે ભૂતપૂર્વ ખેલાડી દિવંગત સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. તેઓ ભારતના સૌથી મહાન કોચ માંના એક ગણાય છે. તેમણે 1963 માં મૃત્યુ સુધી 1950 થી ભારતીય રાષ્ટ્રીય ટીમનું સંચાલન કર્યું હતું અને આધુનિક ભારતીય ફૂટબોલના વાસ્તુકાર તરીકે ઓળખાય છે.
દેવાંશી-