ભરૂચમાં વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન જૈન મૂર્તિઓ મળી
ભરૂચ, 10 જૂન 2026 – ભરૂચમાં વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાંથી પ્રાચીન જૈન અને હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી આવી હોવાનું જાણવા મળે છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતના ભરૂચની વિવાદિત જામા મસ્જિદના ભોંયરામાં હિન્દુ અને જૈન દેવી-દેવતાઓની જૂની મૂર્તિઓ દર્શાવતો એક વીડિયો જાહેર થયો છે. આ વીડિયોમાં મસ્જિદના ભોંયરામાં ભગવાન ગણેશ, હનુમાન અને જૈન તીર્થંકર મલ્લિનાથજીની મૂર્તિઓ દેખાઈ રહી છે.
એક મીડિયા સાથેની વાતચીતમાં ભરૂચના સ્વામી મુક્તાનંદે જણાવ્યું કે આ વીડિયો સાચો છે અને સંતો દ્વારા લાંબા સમયથી કહેવામાં આવી રહેલી વાતોની પુષ્ટિ કરે છે. તેમણે કહ્યું કે ઇતિહાસને મિટાવી શકાતો નથી અને સચ્ચાઈ આજે સૌની સામે છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ: કોટેશ્વર રોડથી એરપોર્ટ કોરિડોરને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી
નોંધનીય છે કે હિન્દુ સંતો અને સંગઠનો લાંબા સમયથી કહેતા આવ્યા છે કે ભરૂચમાં જામા મસ્જિદ હિન્દુ-જૈન મંદિરો તોડીને બનાવવામાં આવી હતી.
સ્વામી મુક્તાનંદે કહ્યું કે ભરૂચમાં જામા મસ્જિદ ASI (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ) દ્વારા સંરક્ષિત સ્મારક હોવા છતાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. અમારી માંગણી છે કે તેનું સંચાલન ASI ના નિયમો હેઠળ કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનારી ગતિવિધિઓ પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવે.
તાજેતરમાં જ, સ્થાનિક વહીવટીતંત્રે અહીં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા એક શેડને તોડી પાડીને દબાણ હટાવી દીધું છે. આ સિવાય, ભોંયરા તરફ જતા એક દરવાજાને પણ સીલ કરી દેવામાં આવ્યો છે.


