1. Home
  2. ગુજરાતી
  3. એંટની બ્લિંકન ભારતની લેશે મુલાકાત,પીએમ મોદી-વિદેશમંત્રી એસ જયશંકર સાથે કરશે મુલાકાત
એંટની બ્લિંકન ભારતની લેશે મુલાકાત,પીએમ મોદી-વિદેશમંત્રી એસ જયશંકર સાથે કરશે મુલાકાત

એંટની બ્લિંકન ભારતની લેશે મુલાકાત,પીએમ મોદી-વિદેશમંત્રી એસ જયશંકર સાથે કરશે મુલાકાત

0
Social Share
  • એંટની બ્લિંકન ભારતની મુલાકાત લેશે
  • પીએમ-વિદેશમંત્રી સાથે કરશે મુલાકાત
  • અનેક મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા

દિલ્હી :અમેરિકી વિદેશમંત્રી એંટની બ્લિંકન આવતા સપ્તાહે તેમની પ્રથમ ભારત યાત્રા પર આવવાના છે. આ દરમિયાન બ્લિંકન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. બ્લિંકન મુલાકાત દરમિયાન વિવિધ ઇન્ડો-પેસિફિક જોડાણ, વહેંચાયેલ લોકશાહી મૂલ્યો અને કોવિડ-19 પ્રતિસાદ પ્રયત્નો સહીતના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરશે.અમેરિકી વિદેશ મંત્રીના પ્રવક્તાએ શુક્રવારે આ માહિતી આપી હતી. બ્લિંકન 27 જુલાઈએ બે દિવસીય ભારત પ્રવાસ પર આવનાર છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું હતું કે,નવી દિલ્હીની તેમની મુલાકાત ઉપરાંત બ્લિંકન કુવૈત શહેરની પણ મુલાકાત લેશે. તેમની મુલાકાત 26 જુલાઈથી 29 જુલાઇ સુધી રહેશે. પ્રાઇસે કહ્યું હતું કે, આ મુલાકાત ભાગીદારીને મજબૂત બનાવવા અને અમેરિકાની વહેંચાયેલ અગ્રતા પર સહકારને મહત્વ આપવાની પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપશે. પ્રાઇસે જણાવ્યું હતું કે, 28 જુલાઈએ નવી દિલ્હીમાં બ્લિંકન વિદેશમંત્રી એસ જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે,બ્લિંકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલને પણ મળશે.અમેરિકી વિદેશમંત્રી બ્લિંકનની મુલાકાત ઉચ્ચ-સ્તરની દ્વિપક્ષીય સંવાદ ચાલુ રાખવા અને ભારત-યુએસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાની તક છે, એમ વિદેશ વિભાગે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. બંને પક્ષો ભારત અને અમેરિકાના મજબૂત અને બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધો અને તેમને વધુ મજબૂત કરવાની સંભાવનાની સમીક્ષા કરશે. મંત્રાલયે કહ્યું કે, બેઠક દરમિયાન થયેલી ચર્ચાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code