1. Home
  2. ગુજરાતી
  3. કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના ભાઈ અશરફને રાત્રે ઉંઘ્યો નથી, ધાર્મિક પુસ્તકો વાંચ્યાં
કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના ભાઈ અશરફને રાત્રે ઉંઘ્યો નથી, ધાર્મિક પુસ્તકો વાંચ્યાં

કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના ભાઈ અશરફને રાત્રે ઉંઘ્યો નથી, ધાર્મિક પુસ્તકો વાંચ્યાં

0
Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશની જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર અતિક અહમદના ભાઈ અશરફ અહમદએ રાતના સમયે ધાર્મિક પુસ્તકો માંગી હતી. અશરફ અહમદ નૈની સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગલી રહ્યો છે. અશરફ હાલ રમજાન મહિનાના રોજા કરી રહ્યો છે. તેમની માંગને પૂર્ણ કરતા મોડી રાત્રે જેલ પ્રશાસન દ્વારા તેમને ધાર્મિક પુસ્તકો આપવામાં આવ્યા હતા. ઊંઘ ન આવવાને કારણે તેણે ધાર્મિક પુસ્તકો વાંચીને રાત પસાર કરી હતી. આ સિવાય અશરફે જેલમાં ખાવા માટે ખજૂર અને દૂધની પણ માંગણી કરી હતી. પોલીસે અતિક અહેમદ અને તેના ભાઈ અશરફને કોર્ટમાં રજુ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

જેલ મેન્યુઅલ મુજબ અશરફને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. જો કે, તેણે રોજા રાખ્યા છે, તેથી તેની માંગ પૂરી થઈ છે. દરમિયાન ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી દરેક દેખાવ પર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો.

ઉમેશ પાલ હત્યા કેસમાં મુખ્ય આરોપી અતિક અહેમદ અને તેના ભાઈ અશરફને ગુરુવારે (પ્રયાગરાજની CJM કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ કોર્ટમાંથી પોલીસે બંનેના 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે. ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદને સારબમતી જેલમાંથી ઉત્તરપ્રદેશ પોલીસે કસ્ટડી મેળવી હતી.

તેમજ બાય રોડ તેને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ લઈને જવાયો હતો. બીજી તરફ અતિકનો ભાઈ અશરફ હાલ ઉત્તરપ્રદેશની જેલમાં જ બંધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઉત્તરપ્રદેશની અદાલતે ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક અહેમદ સહિત 3 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code