ભારત-જાપાન સંવાદ સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું – ‘આપણી નીતિઓના મૂળમાં માનવતાવાદ રાખવો જોઈએ’
- ભારત જાપાન સંવાદ સંમેલન યોજાયું
- વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી પીએમ મોદીએ સંબોધન કર્યું
દિલ્હીઃ-વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી છઠ્ઠી ભારત-જાપાન સંવાદ સંમેલનને સંબોધન કર્યું હતું.આ સંબોધનની શરૂઆતમાં વડા પ્રધાને કહ્યું કે, હું જાપાન સરકારને ભારત-જાપાન સંવાદમાં સતત સમર્થન આપવા બદલ ઘન્યવાદ કરવા ઈચ્છું છું. તેમણે પરંપરાગત બૌદ્ધ સાહિત્ય પુસ્તકાલય અને શાસ્ત્રોના નિર્માણનો પ્રસ્તાવ આપ્યો.
વડા પ્રધાને કહ્યું કે જો ભારતમાં આવા પસ્તકાલય નિર્માણ પામે છે તો આપણા માટે આનંદની વાત છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં માનવતા સહકારને બદલે ઘણીવાર ટક્કરનો માર્ગ અપનાવે છે. સંવાદ હતો પણ તે એક બીજાને નીચે ખેંચવાનો હતો. આવો હવે એક સાથે મળીને ઉઠીએ. વડા પ્રધાને કહ્યું કે આપણે આપણી નીતિઓના મૂળમાં માનવતાવાદ રાખવો જોઈએ.
પીએમ મોદીએ કરેલા સંવાદના કેટલાક મહત્વનો અંશો
- આપણે આપણી નીતિઓના મૂળમાં માનવતાવાદ મૂકવો જોઈએ. આપણે આપણા અસ્તિત્વના કેન્દ્રિય આધારસ્તંભ તરીકે પ્રકૃતિ સાથે સુમેળભર્યું સહ-અસ્તિત્વ બનાવવું જોઈએ.
- ભૂતકાળમાં, માનવતા સહકારને બદલે ઘણી વાર સંઘર્ષનો માર્ગ અપનાવ્યો છે. સામ્રાજ્યવાદથી લઈને વિશ્વ યુદ્ધ સુધી. હથિયારોની રેસથી લઈને તરિક્ષની રેસ સુધી. આપણા પાસે સંવાદો હતા પણ અન્યને નીચે દેખાડવા માટેના. ચાલો હવે સાથે મળીને સાથે ભબા રહીએ
- વૈશ્વિક વિકાસ પર ચર્ચા ફક્ત થોડા લોકોમાં જ થઈ શકતી નથી. ટેબલ મોટું હોવું જોઈએ. કાર્યસૂચિ વ્યાપક હોવી જોઈએ.
- ગ્રોથ પેટર્નને માનવ-કેન્દ્રિત અભિગમનું પાલન કરવું જોઈએ અને આપણા પર્યાવરણ સાથે સુસંગત હોવું જોઈએ.
- આપણા આજના કાર્યો આવનારા સમયમાં પ્વચનને આકાર આપશે. આ દાયકા એ સોસાયટીઓ માટે હશે કે જેઓ મળીને શિક્ષણ અને નવીનતા માટે પ્રીમિયમ ધરાવે છે. તે તેજસ્વી યુવા દિમાગના પોષણ વિશે હશે, જે આવનારા સમયમાં માનવતામાં મૂલ્યોને જોડશે
સાહિન-