1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ‘અટલ બ્રીજ’ની મુલાકાત લેનારા વાંચીલો, આવતી કાલથી ટિકિટ દર લાગુ ,જાણો કેટલી હશે ટિકિટની કિમંત
‘અટલ બ્રીજ’ની મુલાકાત લેનારા વાંચીલો, આવતી કાલથી ટિકિટ દર લાગુ ,જાણો કેટલી હશે ટિકિટની કિમંત

‘અટલ બ્રીજ’ની મુલાકાત લેનારા વાંચીલો, આવતી કાલથી ટિકિટ દર લાગુ ,જાણો કેટલી હશે ટિકિટની કિમંત

0
Social Share
  • 31 ઓગસ્ટથી અટલ બ્રીજની મુલાકાત બનશે ચાર્જેબલ
  • આવતી કાલથી લાગુ થશે ટિકિટ
  • 3 થી 15 વપર્ષના બાળકો માટે 15 રુપિયા
  • 15 થી 60 વર્ષની વય માટે 30 રુપિયાની હશએ ટિકિટ
  • વિકંલાંગો માટે ફ્રી એન્ટ્રી,60થી ઉપરના લોકો માટે પણ ટિકિટ ફ્રી

અમદાવાદઃ- તાજેતરમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા અમદાવાદ સાબરમતી રિવર ફ્રંટ પર નવો બનેલા અટલ ફૂટ ઓવરબ્રીજનું  લોકાર્પણ કરવામાં આવ્યું હતું, 27 ઓગસ્ટના રોજ આ બ્રીજનું લોકાર્પણ કરાયું હતું અને બીજે જ દિવસે એટલે કે રવિવારે બ્રીજની મુલાકાત લેનારાઓની સંખ્યા એટલી વધી હતી કે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી સાથે જ રાત્રે 8 વાગ્યે એન્ટ્રી ગેટ બંધ કરી દેવાયા હતા, જો કે આ દિવસે અહી મુલાકાત મફ્તમાં હતી પરંતુ હવે જો તમે અહીં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારે ટિકિટ લેવી પડશે હવેથી અહીની મુલાકાત માટે ચાર્જ વસુલવામાં આવશે, જી હા આવતી કાલથી એટલે કે 31 ઓગસ્ટના રોજથી અટલ બ્રીજના મુલાકાતીઓ માટે ટિકિટ દર લાગુ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અટલ બ્રીજ અમદાવાદીઓ માટે નવું નઝરાણું બન્યું છે,ખાસ કરીને આ બ્રીજની ડિઝાઈન લોકોને આર્ષિત કરી રહી છે લોકો ફોટોઝ અને સેલ્ફી લેવા પણ અહીં આવતા થયા છે ત્યારે હવે અહી આવવા માટે તેમણે પૈસા ચૂકવવા પડશે.

જાણો કેટલી હશે ટિકિટ

પ્રાપ્ત વિગત પ્રમાણે  અટલ ફૂટ ઓવરબ્રિજ પર કાલથી  મુલાકાત લેવા માગતા 3 વર્ષની વયથી લઈને  12 વર્ષના બાળકો માટે 15 રુપિયા ટચિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે તો સાથે જ 12 વર્ષથી લઈને 60 વર્ષના લોકો માટે આ બ્રીજની એન્ટ્રી ફી એટલે કે ટિકિટ દર 30 રુપિયા રાખવામાં આવ્યો છે

આ લોકોને મળશે પ્રવેશ ફ્રી

જો કે સરકારે ખાસ લોકો માટે ટિકિટ  દર ઓછો કર્યો છે,  જે પ્રમાણે 60 વર્ષથી ઉપરના સિનીયર સિટીઝન માટે  ટિકિટનો દર 15 રૂપિયા વસૂલાશે. સાથે જ વિકલાંગો માટે પ્રવેશ ટિકિટ લેવાની નથી એઠલે કે તેઓને ફ્રીમાં એન્ટ્રી મળશે.

ટાઈમ લિમિટ પણ કરાઈ નક્કી

દરેક મુલાકાતીએ માત્ર 30 મિનિટ અટલ બ્રિજની મુલાકાત કરવાની રહેશે. આ ઉપરાંત ફેરિયાઓને આ બ્રીજ પર પ્રવેશ  અપાશે નહી સાથે જ રમત ગમતના સાધનો પણ કોઈ પણ અંદર લઈ જઈ શકશે નહી.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અહીંની મુલાકાતીઓની સંખ્યા ખૂબ વધુ જોવા મળશી રહી છે.ત્યારે આવતી કાલે પણ જાહેર રજા હોવાથી મુલાકાતીઓનો ઘોડા પૂર ઊભરાય તેવી શક્યતાઓ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code