1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. વિંડ ચાઈમથી ઘરમાં આવી શકે છે Badluck, રાખતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો
વિંડ ચાઈમથી ઘરમાં આવી શકે છે Badluck, રાખતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

વિંડ ચાઈમથી ઘરમાં આવી શકે છે Badluck, રાખતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

0
Social Share

ફેંગશુઈ શાસ્ત્ર પણ વાસ્તુશાસ્ત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે.આ શાસ્ત્રનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે. ફેંગશુઈ ચીની વાસ્તુ શાસ્ત્ર છે પરંતુ ભારતમાં લોકો પણ આ શાસ્ત્રનો ઉપયોગ કરે છે. ફેંગશુઈ શાસ્ત્રોમાં કેટલીક વસ્તુઓ રાખવાને શુભ કહેવાય છે. ઘરમાં વિંડ ચાઈમ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.પરંતુ જો તેને ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો ઘરમાં ખરાબ નસીબ પણ આવી શકે છે.તો ચાલો તમને જણાવીએ તેનાથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ વાતો..

આ દિશામાં લગાવો  

ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર ઘરની પશ્ચિમ અને ઉત્તર દિશામાં વિંડ ચાઇમ લગાવવી જોઈએ.જો તમે ઘરમાં લાકડાનો વિંડ ચાઈમ લગાવી રહ્યા છો તો તેને પૂર્વ કે દક્ષિણ દિશામાં લટકાવી દો.જો તમે વિંડ ચાઈમને બીજી કોઈ દિશામાં રાખો છો તો ઘરમાં ગરબડ થઈ શકે છે.આ સાથે ઘરના સભ્યોમાં પ્રેમની લાગણી પણ સમાપ્ત થાય છે.

પૂજા રૂમ અને રસોડામાં ન લગાવો  

પૂજા રૂમ અને રસોડામાં વિંડ ચાઇમનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ.રસોડાને ઘર માટે ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે.પૂજા સ્થાન પર દેવી-દેવતાઓનો વાસ છે, તેને અહીં લગાવવાથી ઘરની મહિલાઓ પર ખોટી અસર પડી શકે છે.જ્યાં પવન પ્રવેશે છે ત્યાં વિંડ ચાઇમ લગાવો.તમે તેને મુખ્ય દરવાજા અથવા બારી પર લગાવી શકો છો.

અહિયાં લગાવાથી ખરાબ થશે આર્થિક સ્થિતિ 

ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર વિંડ ચાઈમ એવી જગ્યાએ ન લગાવવી જોઈએ જ્યાં કોઈ વ્યક્તિ તેની નીચે બેસે અથવા કોઈ વ્યક્તિ તેની નીચેથી પસાર થાય.આ કારણે ઘરના સભ્યોને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.પરિવારના સભ્યો પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code