1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિર્જન ગણાતા 21 દરિયાઈ ટાપુ પર જવા-આવવા પર મુકાયો પ્રતિબંધ,
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિર્જન ગણાતા 21 દરિયાઈ ટાપુ પર જવા-આવવા પર મુકાયો પ્રતિબંધ,

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિર્જન ગણાતા 21 દરિયાઈ ટાપુ પર જવા-આવવા પર મુકાયો પ્રતિબંધ,

0
Social Share

ખંભાળિયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લો સમુદ્રથી ઘેરાયેલો છે. જિલ્લાના સાગરકાંઠા નજીક દરિયામાં 24 જેટલા ટાપુ યાને બેટ આવેલા છે. જેમાં બેટ દ્વારકા સહિત બે ટાપુ પર જ માનવ વસતિ છે, જ્યારે એક ટાપુ પર ધાર્મિક સ્થાનો આવેલા છે. બાકીના નિર્જન ગણાતા 21 ટાપુ પર લોકોના અવર-જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અને જિલ્લા કલેક્ટરો જાહેરમાનું પણ પ્રસિદ્ધ કર્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્વિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 02 ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જયારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. જે પૈકી નરારા ટાપુ પર ધાર્મિક સ્થાનો આવેલા હોવાથી શરતોને આધિન પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત પરવાનગી લેવામાંથી મુક્તિ આપવામાં આવી છે.  આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલ હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 21 જેટલા ટાપુ નિર્જન છે. આ ટાપુઓ પર કોઈ માનવ વસતી નથી. આથી ટાપુ પર રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શકયતા નકારી શકાય નહી. આવી પ્રવૃતિઓના કારણે જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલી સતાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી જિલ્લામાં આવેલા 21 ટાપુઓ જેવા કે (1) ધાની ઉર્ફે ડની ટાપુ, (2) ગાંધીયોકડો ટાપુ, (3) કાલુભાર ટાપુ, (4) રોઝી ટાપુ, (5) પાનેરો ટાપુ, (6) ગડુ (ગારૂ) ટાપુ, (7) સાનબેલી (શિયાળી) ટાપુ, (8) ખીમરોઘાટ ટાપુ, (9) આશાબાપીર ટાપુ (10) ભૈદર ટાપુ (11) ચાંક ટાપુ (12) ધબધબો (દબદબો) ટાપુ (13) દીવડી ટાપુ (14) સામીયાણી ટાપુ (15) નોરૂ ટાપુ (16) માન મરૂડી ટાપુ (17) લેફા મરૂડી ટાપુ (18) લંધા મરૂડી ટાપુ (19) કોઠાનું જંગલ ટાપુ (20) ખારા મીઠા ચુષ્ણામ ટાપુ (21) કુડચલી ટાપુ (ક્રમ 1 થી 5 મહેસુલી હકુમત ખંભાળીયા, 6 થી 8 મહેસુલી હકુમત કલ્યાણપુર, 9 થી 21 મહેસુલી હકુમત દ્વારકા)  ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી  અને સબ – ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખીત પૂર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code