અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ નવા મુખ્યમંત્રી અંગે વિવિધ નામો ચર્ચાયા હતા. દરમિયાન નવા મુખ્ય પ્રધાન પસંદ કરવા દિલ્લીથી ગાંધીનગર આવેલ ભાજપના કેન્દ્રીય નિરીક્ષકની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપની કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવા અંગે ચર્ચાઓ વહેતી થઈ છે. ભાજપના ધારાસભ્ય દળની બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભુપેન્દ્ર પટેલ નામની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના ધારાસભ્યની બેઠકમાં યોજાઈ હતી. જેમાં નવા મુખ્યપ્રધાનના તરીકે…… નામની દરખાસ્ત કરવામાં આવી હતી અને અન્ય નેતા તે નામને અનુમોદન આપ્યું હતું. દિલ્હીથી મોવડી મંડળ દ્વારા ગાંધીનગરમાં મોકલાયેલા કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્ર તોમર, પ્રહલાદ જોષી અને તરુણ ચુંગ ઉપરાંત કેન્દ્રીય સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય મોવડીમંડળ દ્વારા ગુજરાતના નવા મુખ્યપ્રધાનના નામ અંગે ચર્ચા કરી હતી અને ત્યાર બાદ ગુજરાત ભાજપની કોર કમિટીમાં નવા પ્રધાનમંડળને લઈને પણ ચર્ચા કરવામાં હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનોએ બેઠકનો દોર શરૂ કર્યો હતો. તેમજ તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવામાં આવ્યાં હતા. મોડી સાંજ સુધી ભાજપના ટોચના નેતાઓમાં બોઠકનો દોર ચાલ્યો હતો. દરમિયાન આજે રવિવારે સવારથી જ પ્રદેશ પ્રમુખ કમલમ ખાતે પણ બેઠકોનો દોર શરૂ થયો હતો. બીજી તરફ રાજીનામા બાદ વિજય રૂપાણી નારાજ થયા હોવાની અટકળો વહેતી થઈ હતી. જેથી ભાજપના ટોચના નેતાઓએ તેમને મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવ સહિતના આગેવાનોએ તેમને ચર્ચા કરી હતી.
ધારાસભ્ય દળની બેઠકમાં કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુપેન્દ્ર પટેલનું નામ મુખ્યમંત્રી પદ માટે મુકવામાં આવ્યું હતું. જે તમામ ધારાસભ્યોએ અનુમોદન આપ્યું હતું. ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયાના ધારાસભ્ય છે. લંબાણ પૂર્વકની ચર્ચાના અંતે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. વિવિધ નામ ચર્ચાતા હતા તે તમાંથી કોઈની પસંદગી કરવામાં આવી હતી.
દરમિયાન ભાજપના યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ભાજપના ધારાસભ્ય દળની બેઠક હજુ ચાલી રહી છે હજુ સુધી કોઈ નામની જાહેરાત કરાઈ હતી. પરંતુ ભુપેન્દ્ર પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. થોડીવારમાં જ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે