1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાજપના આગેવાન પ્રશાંત વાળાના પિતાજીનું નિધન
ભાજપના આગેવાન પ્રશાંત વાળાના પિતાજીનું નિધન

ભાજપના આગેવાન પ્રશાંત વાળાના પિતાજીનું નિધન

0
Social Share

અમદાવાદઃ ગુજરાત ભાજપના નેતા પ્રશાંતભાઈ વાળાના પિતા વિજયભાઈ ચાંપરાજભાઈ વાળાનું 70 વર્ષની વયે 25મી સપ્ટેમ્બરે અવસાન થયું છે. જૂનાગઢના રહેવાસી અને મૂળ અમરાપુરના વિજયભાઈ વાળા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના નિવૃત જનરલ મેનેજર હતા.

સ્વ. વિજયભાઈ વાળાનું બેસણું તા. 29મી સપ્ટેમ્બરે સાંજના 4થી 6 કલાક સુધી જૂનાગઢના રાયજી બાગ નજીક સત્સંગ હોલમાં રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટમાં તા. 30 સપ્ટેમ્બરના રોજ બેસણુ યોજાશે. રાજકોટમાં કાલાવડ રોડ ઉપર નંદનવન કોમ્યુનિટી હોલમાં સાંજના 4થી 6 કલાક સુધી યોજાશે. સ્વ. વિજયભાઈ વાળાને ગુજરાતના જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)એ શ્રદ્ધાંજલી પાઠવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code