1. Home
  2. ગુજરાતી
  3. ભાજપ પણ આપના રસ્તે, દિલ્હીની જેમ રાજકોટમાં પણ હવે મહોલ્લા ક્લીનિક્સ શરૂ કરાશે
ભાજપ પણ આપના રસ્તે, દિલ્હીની જેમ રાજકોટમાં પણ હવે મહોલ્લા ક્લીનિક્સ શરૂ કરાશે

ભાજપ પણ આપના રસ્તે, દિલ્હીની જેમ રાજકોટમાં પણ હવે મહોલ્લા ક્લીનિક્સ શરૂ કરાશે

0
Social Share

રાજકોટઃ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે મહોલ્લા ક્લીનિક્સ શરૂ કર્યા છે, તેવી રીતે રાજકોટ શહેરમાં પણ મહોલ્લા ક્લીનિક્સ શરૂ કરશે. શહેરના છેવાડાના લોકોને પોતાના વિસ્તારમાં જ આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકારે મહોલ્લા ક્લિનિકના રૂપમાં દીનદયાળ ક્લિનિક શરૂ કરવાનો નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેની પ્રથમ શરૂઆત રાજકોટ શહેરમાં થશે જ્યાં એકસાથે 67 ક્લિનિક શરૂ થશે જેનો આરંભ 2જી ઓગસ્ટથી કરવામાં આવશે.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ જણાવ્યા અનુસાર શહેરના એવા વિસ્તારો કે, રૈયાધાર, ભગવતીપરા, કુબલિયાપરા, જંક્શન-સંતોષીનગર, આંબેડકરનગર, ભીમનગર જીવરાજપાર્ક, જિલ્લા ગાર્ડન, કે જે વિસ્તારની વસતી  3000 હોય અને એક કિ.મી.ના વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ન હોય ત્યાં દીનદયાળ ક્લિનિક શરૂ થશે. આ માટે વિસ્તાર નક્કી થઈ રહ્યા છે અને શરૂઆતના તબક્કે 67 તબીબની નિમણૂક કરાશે જેનું વોક ઈન ઇન્ટરવ્યુ આજે લેવામાં આવ્યા હતા. તબીબો સવારના સમયે પોતાની ખાનગી પ્રેક્ટિસ કરશે અને સાંજે 5થી 9 દરમિયાન જે તે વિસ્તારોમાં જઈને નિદાન કરશે. આ માટે તંત્ર તરફથી સરકારી સ્કૂલ, આંગણવાડીના બિલ્ડિંગ આપશે તેમજ જરૂરી દવાઓ પણ આપશે. તબીબ પોતાની સાથે એક પેરામેડિકલ સ્ટાફ સાથે રાખશે

રાજકોટમાં દીનદયાળ ક્લિનિક શરૂ કરવા માટે ખાનગી તબીબોની સેવા લેવાશે. એમબીબીએસ ડોક્ટર હોય તો મહિને 30,000 અને આયુષ એટલે કે બીએચએમએસ ડોક્ટર હોય તો તેને મહિને 23000 રૂપિયા માસિક ભથ્થું અપાશે. આ ભથ્થામાં ડોક્ટર ઉપરાંત તેની સાથે એક પેરામેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. તંત્ર તરફથી જગ્યા, ફર્નિચર અને દવાઓ અપાશે જ્યારે તબીબ સ્ટેથોસ્કોપ સહિતના જરૂરી સાધનો પોતાની પાસે હોય તે વાપરવાના રહેશે. આ જ પ્રકારે શહેરમાં વિકાસના કામો થઈ શકે એ હેતુથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનમાં કાર્યપાલક ઈજનેરની ભરતી માટે ઓફિસર્સ સિલેક્શન કમિટી ગુરવારે સવારે 10 વાગ્યે ઈન્ટરવ્યુ લેવાના છે. જોકે તેમાં મ્યુનિના ઈન્ચાર્જ સિટી ઈજનેર એવા વાય. કે. ગોસ્વામીનું જ નામ ફાઈનલ કરાશે તેવી પૂરી સંભાવના છે. કાર્યપાલક ઈજનેરની 2018માં ખાલી પડેલી જગ્યા માટે 2019માં ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ હતી અને ઓગસ્ટ 2019 સુધીમાં અરજીપત્રકો મગાવી લેવાયા હતા. જોકે ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા શંકાસ્પદ રીતે અટકી ગઈ હતી. બીજી ભરતીઓ કરાઈ પણ આ જગ્યા પર વિચાર ન કર્યો. આખરે જૂન મહિનામાં ભરતી પ્રક્રિયા આગળ વધી અને જે અરજીઓ આવી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code