1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે ભારતના પ્રયાસો શરૂ, અજીત ડોભાલ રશિયન NSAને મળ્યા

PM મોદીની યુક્રેન મુલાકાત મામલે બંને NSA વચ્ચે ચર્ચા યુક્રેન સંઘર્ષનો ઉકેલ શોધવામાં ભારતની સંભવિત ભૂમિકા ચર્ચા નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ યુદ્ધમાં શાંતિમંત્રણા માટે ભારત સહિત 3 દેશ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ભારત દ્વારા રશિયા અને યુક્રેન […]

ASW SWC (CSL) પ્રોજેક્ટઃ જહાજ ‘માલપે અને મુલ્કી’નું એક સાથે લોન્ચિંગ

બેંગ્લોરઃ ભારતીય નૌકાદળ માટે મેસર્સ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહેલા આઠ એન્ટી સબમરીન વોરફેર શૅલો વોટર ક્રાફ્ટ પ્રોજેક્ટના ચોથા અને પાંચમા જહાજ માલપે અને મુલ્કીને સીએસએલ, કોચી ખાતે લોન્ચ કરવામાં આવ્યા હતા. દરિયાઈ પરંપરાઓને ધ્યાનમાં રાખીને, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ વીએડીએમ વી શ્રીનિવાસની હાજરીમાં શ્રીમતી વિજયા શ્રીનિવાસ દ્વારા બંને જહાજોનું […]

સશસ્ત્ર દળોએ શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂરઃ રાજનાથ સિંહ

રાજનાથ સિંહે સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સમાં રહ્યાં હાજર ભારત એક “શાંતિ પ્રેમી રાષ્ટ્ર” છેઃ કેન્દ્રીય મંત્રી નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંયુક્ત કમાન્ડર્સની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારત એક “શાંતિ પ્રેમી રાષ્ટ્ર” છે પરંતુ સશસ્ત્ર દળોએ શાંતિ જાળવી રાખવા માટે યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે. લખનૌમાં પ્રથમ સંયુક્ત કમાન્ડરોની પરિષદમાં બોલતા, રાજનાથ સિંહે […]

ભારતઃ 1.45 લાખ કરોડના 10 સૈન્ય પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી

નૌકાદળના પ્રોજેક્ટ 17 બ્રાવો હેઠળ સાત નવા યુદ્ધ જહાજોના સંપાદનનો પણ સમાવેશ આર્મી T-72ને સ્વદેશી FRCV સાથે બદલવાની યોજના બનાવી રહી છે નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશની સંરક્ષણ પ્રણાલીને આધુનિક બનાવવા માટે ત્રણ સેવાઓ માટે રૂ. 1.45 લાખ કરોડના મૂલ્યના 10 મૂડી સંપાદન પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રાલય ભારતીય નૌકાદળ માટે સાત અદ્યતન ફ્રિગેટ્સનું […]

રાજસ્થાનના બાડમેરમાં વાયુસેનાનું મિગ-29 ક્રેશ

જયપુરઃ ભારતીય વાયુસેનાનું મિગ-29 ફાઈટર પ્લેન રાત્રે રાજસ્થાનના બાડમેર પાસે ક્રેશ થયું હતું. વાયુસેનાએ જણાવ્યું હતું કે નાઇટ ટ્રેનિંગ મિશન દરમિયાન ફાઇટર એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી જેના પગલે પાઇલટે બહાર નીકળવું પડ્યું હતું. પાયલોટ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ મામલે એરફોર્સ દ્વારા કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. વાયુસેનાનું મિગ […]

જમ્મુ-કાશ્મીરઃ આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ કર્યો હુમલો, એક જવાન ઘાયલ

આતંકવાદી હુમલા બાદ આર્મીએ શરુ કર્યું ઓપરેશન આર્મી અને પોલીસે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સુજવાં આર્મી બેઝ પાસે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારની ઘટનામાં એક જવાન ઘાયલો થયો હતો. જેના જવાબમાં ભારતીય આર્મીએ કાર્યવાહી શરૂ કરી હતી. આર્મીએ સમગ્ર વિસ્તારને ઘેરીને ઓપરેશન શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુના સુજવાં આર્મી […]

વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત ચોક્કસપણે ગેમ ચેન્જર સાબિત થશે: ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર દેહરાદૂનની મુલાકાતે છે ત્યારે તેમણે નેશનલ ઈન્ડિયન મિલિટરી કોલેજના કેડેટ્સને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે જીવનમાં ક્યારેય નિષ્ફળતાથી ડરશો નહીં, તે સફળતા તરફનું એક પગલું છે. ડરની લાગણી તમારી પ્રતિભાના ઉપયોગ અને તમારી શક્યતાઓને વાસ્તવિકતામાં અવરોધે છે. હંમેશા યાદ રાખો કે ડર એ આપણી વૃદ્ધિની યાત્રાનો આવશ્યક ભાગ છે.  […]

એર માર્શલ તેજિન્દર સિંહ ડેપ્યુટી એરફોર્સ ચીફ બન્યા

નવી દિલ્હીઃ એર માર્શલ તેજિન્દર સિંહે રવિવારે વાયુસેનાના નાયબ વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ એરફોર્સ હેડક્વાર્ટર (વાયુ ભવન) પહોંચ્યા અને ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યા પછી એર માર્શલ તેજિન્દર સિંહ અહીં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર માર્શલ તેજિન્દર સિંઘને 13 […]

રશિયાના સૈન્ય દળએ યુક્રેનના મોટાભાગના વિસ્તારમાં મિસાઈલથી હુમલા કર્યાં

રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહ્યું છે યુદ્ધ બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાય તેવા દુનિયાના દેશોના પ્રયાસો નવી દિલ્હીઃ શિયન સેનાએ ફરી એકવાર યુક્રેનને નિશાન બનાવ્યું છે. રશિયાએ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ યુક્રેન પર હુમલા કર્યા હતાં. આ હુમલામાં ચાર લોકોના મોત થયા હતા અને 37 લોકો ઘાયલ થયા હતા. યુક્રેનની સેના અને સ્થાનિક સત્તાવાળાઓએ આ […]

યુએનના સેક્રેટરી જનરલે Israel-Hezbollah ના શાંતિ સ્થાપિત કરવા માટે કર્યું આહ્વાન

શાંતિ નહીં સ્થપાય તો સુરક્ષા અને સ્થિરતા જોખમમાં આવી શકે છે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ નવી દિલ્હીઃ યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહને શાંતિ માટે અપીલ કરી છે. નહીં તો સુરક્ષા અને સ્થિરતા જોખમમાં આવી શકે છે. તેમના પ્રવક્તા સ્ટીફન દુજારિકે આ માહિતી આપી છે. જોકે બંને પક્ષો વચ્ચેની અથડામણો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code