1. Home
  2. ગુજરાતી
  3.  ચીન એ ભારતીયો પર લગાવેલા કોવિડ વિઝા પ્રતિબંધો હટાવ્યા  – 2 વર્ષ બાદ ભારતીયો વ્યવસ્યા અર્થે ચીન પરત ફરી શકશે
 ચીન એ ભારતીયો પર લગાવેલા કોવિડ વિઝા પ્રતિબંધો હટાવ્યા  – 2 વર્ષ બાદ ભારતીયો વ્યવસ્યા અર્થે ચીન પરત ફરી શકશે

 ચીન એ ભારતીયો પર લગાવેલા કોવિડ વિઝા પ્રતિબંધો હટાવ્યા  – 2 વર્ષ બાદ ભારતીયો વ્યવસ્યા અર્થે ચીન પરત ફરી શકશે

0
Social Share
  • ચીને ભારતીય પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા
  • 2 વર્ષ બાદ ભારતીયો વ્યવસાય અર્થે ચીન જશે

દિલ્હીઃ- કોરોનાને લઈને લાંબા સમયથી ઘણા દેશઓએ ભારતીયોને વિધા આપવા પર પ્રતિબંધો લાગૂ કર્યા હતા જેમાનો એક દેશ ચીન પણ છે ત્યારે હવે ચીન જવા માંગતા ભારતીયો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ચીને કોરોના મહામારીને પગલે બેઇજિંગ દ્વારા લાદવામાં આવેલા કડક વિઝા પ્રતિબંધોને કારણે 2 વર્ષથી વધુ સમયથી ભારતમાં ફસાયેલા ભારતીય વ્યાવસાયિકો અને તેમના પરિવારોને વિઝા આપવાની યોજના જાહેર કરી છે.

તે જ સમયે, ચીનની સરકાર ચીનની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓનું સમાધાન પણ કરી રહી છે, જેમણે અભ્યાસ માટે તેમની કોલેજો અને યુનિવર્સિટીઓમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.આ રીતે હવે ભારતીયો માટે ચીનના રસ્તા ફરી ખુલ્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે વિતેલા દિવસને સોમવારના રોજ ભારતમાં ચીની દૂતાવાસે તેની કોવિડ -19 વિઝા નીતિને બે વર્ષથી વધુ સમય પછી અપડેટ કરી છે. આ અંતર્ગત તમામ ક્ષેત્રોમાં કામ ફરી શરૂ કરવા માટે ચીન પરત ફરવા ઈચ્છતા વિદેશી નાગરિકો અને તેમના પરિવારો પાસેથી વિઝા અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ પગલું હજારો ભારતીય વ્યાવસાયિકો અને તેમના પરિવારો માટે મોટી રાહત છે જેઓ 2020 થી દેશમાં ફસાયેલા છે.

એપ્રિલમાં, ભારત સાથે લાંબા સમય સુધી ચાલી રહેલી વાટાઘાટો પછી, ચીને કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને પાછા ફરવાની મંજૂરી આપી હતી. તેમણે નવી દિલ્હીમાં ભારતીય દૂતાવાસને પરત ફરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓની વિગતો એકત્રિત કરવા જણાવ્યું હતું

આ મામલે  દરેક રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બર 2019 માં ચીનમાં કોરોના વાયરસ મહામારી શરૂ થયા પછી ભારત પરત ફરેલા 23 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ વતનમાં અટવાયા હતા. આમાં મોટા ભાગના ચીની કોલેજોના મેડિકલ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બેઇજિંગ દ્વારા લાદવામાં આવેલા વિઝા પ્રતિબંધોને કારણે તે ચીન પરત ફરી શક્યા નથી ત્યારે હવે તેઓ સરળતાથી ચીન જઈ શકશે.

12 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ ચીન પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને તેમની વિગતો ચીન સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે, વિદ્યાર્થીઓના પરત ફરવા સંબંધિત માપદંડો હજુ સુધી ચીન દ્વારા નક્કી કરવામાં આવ્યા નથી, કારણ કે દેશમાં કોવિડના કેસોમાં તાજેતરના વધારાને ધ્યાનમાં રાખીને બેઇજિંગ મોટી સંખ્યામાં લોકોને એકસાથે પરત જવા દેવા માટે તૈયાર નથી.જો કે બન્ને દેશઓની ફ્લાઈટને લઈને હજી સુધી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code