1. Home
  2. ગુજરાતી
  3. સીએમ ગેહલોતની જાહેરાત: ‘બિહારની જેમ રાજસ્થાનમાં પણ જાતિની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે’
સીએમ ગેહલોતની જાહેરાત: ‘બિહારની જેમ રાજસ્થાનમાં પણ જાતિની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે’

સીએમ ગેહલોતની જાહેરાત: ‘બિહારની જેમ રાજસ્થાનમાં પણ જાતિની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે’

0
Social Share

પટના: બિહાર સરકારે તાજેતરમાં જાતિ ગણતરીના આંકડા રજૂ કર્યા હતા. આ આંકડાઓને લઈને રાજકારણ ગરમાયું હતું. પરંતુ હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે બિહારની જેમ રાજસ્થાનમાં પણ જાતિ ગણતરી થશે.

ગેહલોતે કહ્યું કે રાજસ્થાનમાં પણ જાતિ ગણતરી થશે. વસ્તી ગણતરીના ડેટાના આધારે જ સહભાગિતા નક્કી કરવામાં આવશે. CMએ કહ્યું કે રાજસ્થાનની આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું સૂત્ર હશે- ‘દિલથી કામ થયું, ફરી કોંગ્રેસ’

બિહાર સરકારે તાજેતરમાં રાજ્યમાં કરવામાં આવેલી જાતિ ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ રિપોર્ટ અનુસાર, બિહારમાં વસ્તી 36 ટકા અત્યંત પછાત, 27 ટકા પછાત વર્ગ, 19 ટકાથી થોડી વધુ અનુસૂચિત જાતિ અને 1.68 ટકા અનુસૂચિત જનજાતિ છે.

બિહાર સરકારના આંકડા મુજબ બિહારમાં કુલ વસ્તી 13 કરોડથી વધુ છે. તેમાંથી 27% અન્ય પછાત વર્ગો અને 36% અત્યંત પછાત વર્ગો છે. એટલે કે, ઓબોસીની કુલ વસ્તી 63% છે. અનુસૂચિત જાતિની વસ્તી 19% અને આદિજાતિ વસ્તી 1.68% છે. જ્યારે, સામાન્ય વર્ગ 15.52% છે.

નીતિશ સરકાર સાડા ત્રણ વર્ષથી જાતિ ગણતરી કરાવવા પર અડગ હતી. સરકારને 18 ફેબ્રુઆરી 2019 અને ફરીથી 27 ફેબ્રુઆરી 2020 ના રોજ વિધાનસભા અને વિધાન પરિષદ દ્વારા જાતિ ગણતરી માટેનો પ્રસ્તાવ મળ્યો હતો. પરંતુ જાતિ ગણતરીની કામગીરી આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ હતી. જો કે, સરકાર તેને વસ્તી ગણતરી નહીં પરંતુ ‘સર્વે’ કહે છે .

બિહારમાં જાતિ ગણતરીનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જાતિ સર્વેક્ષણના ડેટા જાહેર કરવા પર સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને પણ નોટિસ પાઠવી છે. આ નોટિસમાં 4 અઠવાડિયામાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. સરકારના જવાબ બાદ અરજદારો પોતાનો જવાબ દાખલ કરશે. વધુ સુનાવણી જાન્યુઆરી 2024ના રોજ હાથ ધરવામાં આવશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code