
હરિદ્વારના અગ્રણી સાધુ-સંતોને ઝેર આપીને તેમને મારવાના ષડયંત્રનો પર્દાફાશઃ એકની અટકાયત
હરિદ્વારઃ નિરંજની પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરી સહિત હરિદ્વારના અનેક અગ્રણી સંતોને ઝેર આપીને મારવાનું ષડયંત્ર રચવાનો મામલો સામે આવ્યો છે. કાવતરું ઘડનાર આરોપીની પ્રયાગરાજ પોલીસે ધરપકડ કરી છે. આરોપીનું નામ વિક્રમ શર્મા અને બાગપતનો રહેવાસી હોવાનું કહેવાય છે.
સ્વામી કૈલાશાનંદ ગિરીએ જણાવ્યું કે, આરોપી 29 નવેમ્બરે તેમના આશ્રમમાં આવ્યો હતો. લગભગ પાંચ કલાક આશ્રમમાં રહ્યો હતો. તેણે આશ્રમના રજિસ્ટરમાં પોતાનું નામ અને સરનામું પણ ખોટુ લખ્યુ હતું અને આશ્રમની રેકી કરી હતી. તેઓ કયા વાહનોનો ઉપયોગ કરે છે તેની માહિતી પણ એકત્ર કરી હતી.
સ્વામી કૈલાશાનંદ ગિરીએ જણાવ્યું કે આરોપી પ્રયાગરાજમાં રહેતી સાધ્વી ત્રિકાલ ભાણવતના આશ્રમમાં પહોંચ્યો અને તેણે સંતોને ઝેર આપીને મારી નાખવાની યોજના જણાવી હતી. આ અંગે સાધ્વી ત્રિકાલ ભવંતાએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તેની ધરપકડ કરી હતી. સાધ્વી ત્રિકાલ ભંવતાએ પણ તેમને સમગ્ર મામલાની જાણકારી આપી હતી.
તેમણે કહ્યું કે આરોપીએ 1 જાન્યુઆરીએ શ્રી દક્ષિણ કાલી મંદિરમાં આયોજિત તેમની જન્મજયંતિની ઉજવણી દરમિયાન અખાડા પરિષદ અને મનસા દેવી મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત રવિન્દ્રપુરી, અખાડા પરિષદના મહાસચિવ અને શ્રી હરિગીરીએ તેમના ભોજનમાં ઝેર ભેળવ્યું હતું.