1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાએ આપણને ઓક્સિજનની ઉપયોગીતા, અનિવાર્યતા અને જરૂરીયાત સમજાવીઃ નીતિન પટેલ
કોરોનાએ આપણને ઓક્સિજનની ઉપયોગીતા, અનિવાર્યતા અને જરૂરીયાત સમજાવીઃ નીતિન પટેલ

કોરોનાએ આપણને ઓક્સિજનની ઉપયોગીતા, અનિવાર્યતા અને જરૂરીયાત સમજાવીઃ નીતિન પટેલ

0
Social Share

અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર સત્વરે પુરી પાડી તેમને સુરક્ષિત કરવા એ આપણા સૌની જવાબદારી છે. કોરોનાના પ્રથમ તબક્કામાં ઓક્સિજન બેડની જરૂરિયાત ઓછી પડતી હતી. ત્યારે દર્દીઓને આઇસોલેશન, આઇસીયુ, અને વેન્ટીલેટર સહિતની સુવિધાઓ રાજ્ય સરકારે અસરકારક આયોજન થકી પૂરી પાડી છે. આ બીજા તબક્કાના સંક્રમણ દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ આવતા તેની પણ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવીને નાગરીકોને સારવાર રાજ્ય સરકારે પુરી પાડી છે. તેમ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું.

મહેસાણા જિલ્લાના વિસનગર સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ખાતે કાર્યરત નૂતન મેડિકલ કોલેજ માટે  નવીન ઓક્સિજન પ્લાન્ટ, પ્લાઝમા થેરાપી સેન્ટર સહિત આઇ.સી.યુ ઓન વ્હીલ્સ જેવી વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, કોરોના મહામારીમાં ઓક્સિજન ઉપયોગીતા, અનિવાર્યતા અને તેની જરૂરીયાત આજે નાગરિકોને સમજાઇ છે. ઓક્સિજનની અછત નિવારવા માટે રાજય સરકાર સહિત અનેક દાતાઓનો સહયોગ મળ્યો હતો. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ૩૦૦ જેટલા ઓક્સિજન મશીન આપવામાં આવ્યા હતા આ ઉપરાંત અનેક દાતાશ્રીઓ દ્વારા ઓક્સિજન માટે મદદ અપાઇ રહી છે તે માનવસેવાના આ યજ્ઞ માટે અસરકાર નીવડી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે નુતન મેડીકલ જેવી સંસ્થા ઉભી કરવામાં દાતાશ્રીઓનો સહયોગ સહિત સરકાર વતી અનેક પ્રયત્નોને પગલે આજે  આ સંસ્થા વટવૃક્ષ બની છે. તેમણે ઉમેર્યું હતું કે કોરોનાની પ્રથમ લહેરમાં રાજ્ય સરકાર દ્વારા કોવિડ માટે હોસ્પિટલો ઉભી કરવી,સંશાધનો લાવવા, લોકડાઉનમાં મદદ કરવી સહિત અનેક વ્યવસ્થાઓ કરી હતી .જ્યારે બીજી લહેરમાં પણ ખાનગી,સરકારી સહિત ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલોને કોરોનાની સારવારની મંજુરી આપી પથારીઓમાં વધારો કરી દર્દીઓને મદદરૂપ થવા અનેકવિધ કામગીરી હાથ ધરાઇ હતી.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ઉમેર્યું હતું કે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સહિત નુતન મેડીકલ કોલેજનું સંચાલન પ્રકાશભાઇના અથાગ પ્રયત્નોને આભારી છે. કોરોના મહામારીમાં નુતન મેડીકલ કોલેજે વિસનગર,વડનગર,ખેરાલુ,સતલાસણા વિજાપુર સહિત આજુબાજુના અનેક દર્દીઓને કોરોનાથી મુક્ત કરી નવજીવન આપી દર્દીઓના આશિર્વાદ મેળવ્યા છે.

સાંસદ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે વિસનગર ખાતે આજે ત્રણેય આરોગ્ય સેવાઓનું અનાવરણ કરી જનસેવાનુ અનેરૂ કામ કર્યું છે. વિસનગરની આ સંસ્થાએ સાંકળચંદ દાદાના પથ પર ચાલી જનજન સુધી આરોગ્યની સુખાકારી સુવિધા મળી રહે તે માટે કમર કસી છે.કોરોનાની મહામારીમાં ઓક્સિજન પ્લાન્ટ સહિત આઇ.સી.યુ.ઓન વ્હીલ્સ નાગરિકોને ઉપયોગી બનશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code