ઉત્તર કોરિયામાં કોરોનાનો કહેર – 1.5 લાખથી પણ વધુ લોકો ક્વોરોન્ટાઈન હેઠળ, પ્રથમ મોત બાદ દેશમાં સતર્કતા વધી
- ઉત્તર કોરિયામાં કોરોનાનો કહેર
- 1 લાખ 80 હજારથી પણ વધુ લોકો આઈસોલેશન હેઠળ
- મોટાભાગના લોકો અજાણ્યા તાવથી પીડિત
દિલ્હીઃ- જ્યા દેશભરમાં કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે ત્યા વિદેશમાં કોરોનાે હાહાકાર મચાવ્યો છે ચીન બાદ હવે ઉત્તર કોરિયામાં કોરોનાના કેસ મોટા પ્રમાણમાં નોઁધાઈ રહ્યા છે આ સાથે જ ગુરુવારના રોજ કોરોનાથી પ્રથમ મૃત્યુ પણ નોંધાયું છે
પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તર કોરિયાએ વિતેલા દિવસને શુક્રવારે કોરોનાવાયરસથી પ્રથમ મૃત્યુની જાહેરાત કરી છે. ઉત્તર કોરિયાએ કહ્યું છે કે 1 લાખ 87હજારથી પણ વધુ લોકો હાલ ક્વોરોન્ટાઈન હેઠળ જોવા મળી રહ્યા છે આ સાથએ જ મોટાભાગના લોકોની તાવની સારવાર કરવામાં આવી રહી છે અને હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે વાયરસ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો છે.
આ કોરોનાના વધતા કહેરને મામલે કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી, કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે આ એવો તાવ છે કે આ તાવનું કારણ જાણીશકાયું નથી નથી, તે એપ્રિલના અંતમાં સમગ્ર દેશમાં વિસ્ફોટક ગતિએ ફેલાઈ રહ્યો છે.
આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે 6 લોકોના મોત થયા હતા અને તેમાંથી એક કોવિડ 19ના BA.2 પેટા પ્રકાર ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો હતો.વિશ્વના અલગ-અલગ ન્યુક્લિયર પાવર દેશે ગુરુવારે પ્રથમ વખત તેના પ્રથમ કોરોના કેસની પુષ્ટિ કરી. ઉત્તર કોરિયાએ કહ્યું કે રાજધાની પ્યોંગયાંગમાં બીમાર દર્દીઓમાં ઓમિક્રોન કોરોના પોઝિટિવ મળ્યા બાદ તે “સૌથી ઇમરજન્સી રોગચાળા નિવારણ પદ્ધતિ” અપનાવી રહ્યું
મીડિયા એહેવાલ મુજબ માત્ર 12 મેના રોજ, દેશભરમાં લગભગ 18,000 લોકોને તાવ આવ્યો હતો. અત્યાર સુધીમાં 1 લાખ 87 હજાર 800 જેટલા લોકોને અલગ કરીને સારવાર આપવામાં આવી રહી છે.આ સાથે જ કિમ જોંગ ઉને ગુરુવારે તેમના પોલિટબ્યુરો સાથે કટોકટી બેઠક યોજી હતી અને દેશવ્યાપી લોકડાઉન લગાવ્યું હતું,આવનારા દિવસોમાં ઉત્તર કોરિયા માટે કોરોના મોટો પડકાર સાબિત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે વિશઅવભરમાં કોરોનાની ત્રીજી લહેર બનળી પડી ચૂકી હતી તેવી સ્થિતિમાં ઘણા દેશોમાં ફરી એક વખત છૂટાછવાયા કોરોનાના કેસો આવી રહ્યા છે ત્યારે ઇત્તર કોરિયા પણ આવા દેશોમાંથી એક છે જ્યાં હાલ કોરોનાનો કહેર ફેલાયેલો જોવા મળી રહ્યો છે.