1. Home
  2. ગુજરાતી
  3. આજથી મુંબઈ એરપોર્ટ પર કશે યાત્રીઓનો કોરોના ટેસ્ટ – કોરોનાના ડર વચ્ચે લેવાયો નિર્ણય
આજથી મુંબઈ એરપોર્ટ પર કશે યાત્રીઓનો કોરોના ટેસ્ટ – કોરોનાના ડર વચ્ચે લેવાયો નિર્ણય

આજથી મુંબઈ એરપોર્ટ પર કશે યાત્રીઓનો કોરોના ટેસ્ટ – કોરોનાના ડર વચ્ચે લેવાયો નિર્ણય

0
Social Share

 

  • કોરોનાના વધતા કહેર વચ્ચે લેવાયો નિર્ણય
  • બઈ એરપોર્ટ પર આજથી કોરોના ટેસ્ટ શરું

મુંબઈઃ- દેશભરમાં ફરી કોરોનાને લઈને મહત્વના નિર્ણયો લેવાઈ રહ્ય ાછે ચીનમાં વધતા કોરોનાના કહેરને જોતા હવે ભારત સરકાર પણ સતર્ક બની છે, ચીનમાં કોરોનાએ તબાહી મચાવી છે એવી સ્થિતિમાં ભારત સરાકેર કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાની સૂચના ોપણ ાપી છે ત્યારે હવે મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓના કોરોના ટેસ્ટ પણ ફરી શરુ કરવામામં આવશે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોને લઈને  મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડએ વિતેલા દિવસને શુક્રવારે કહ્યું કે, શનિવારથી છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવનારા બે ટકા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે.મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આવા મુસાફરોને તેમની સંબંધિત એરલાઈન્સ દ્વારા ઓળખવામાં આવશે અને એરલાઈન સ્ટાફ દ્વારા તેમના આરટી-પીસીઆર પરીક્ષણો માટે ટર્મિનલના સમર્પિત વિસ્તારમાં નિર્દેશિત કરવામાં આવશે.

આ સાથે જ કહેવામાં આવ્યું છે કે મુસાફરોએ નમૂનાઓ સબમિટ કરવા અને તેમની આગળની યાત્રા  ચાલુ રાખવાની જરૂર છે. લેબ ટેસ્ટના પરિણામોની ડિજિટલ કોપી સીધી મુસાફરોને મોકલવાની જોગવાઈ કરવામાં.આ સાથે જ મુસાફરો માટે પરીક્ષણ સુવિધા ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે.

ઉલ્લેખનીય છે કે  કેન્દ્રીય આરોગ્ય મંત્રી  મનસુખ માંડવિયાએ ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે ચીન અને અન્ય દેશોમાં વધતા કોરોનાવાયરસના કેસોને ધ્યાનમાં રાખીને ભારત તેના એરપોર્ટ પર કોરોના માટે આવતા બે ટકા આંતરરાષ્ટ્રીય મુસાફરોનું પરીક્ષણ શરૂ કરશે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલ નવીનતમ માર્ગદર્શિકાના પ્રમાણે કોરોના વા.રસને ઓળખવા અને તેને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code