1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાનો કહેર:બંગાળમાં છેલ્લા 24 કલાકમાં 5ના મોત,નવી એડવાઈઝરી જારી
કોરોનાનો કહેર:બંગાળમાં છેલ્લા 24 કલાકમાં 5ના મોત,નવી એડવાઈઝરી જારી

કોરોનાનો કહેર:બંગાળમાં છેલ્લા 24 કલાકમાં 5ના મોત,નવી એડવાઈઝરી જારી

0
Social Share
  • બંગાળમાં ડરાવી રહી છે કોરોનાની રફતાર
  • છેલ્લા 24 કલાકમાં 5 લોકોના થયા મોત
  • પોઝિટિવ રેટ 18 ટકાથી વધી ગયો

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં કોરોનાની ઝડપ સતત વધી રહી છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે પાંચ લોકોના મોત થયા છે, જ્યારે પોઝિટીવીટી રેટ વધીને 18.46 થઈ ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. 24 કલાકમાં 2659 લોકોના મોત થયા છે.કોલકાતામાં સૌથી વધુ 743 લોકો સંક્રમિત થયા છે. તે પછી ઉત્તર 24 પરગણા જિલ્લામાં 579 લોકો સંક્રમિત થયા છે.

દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 168 લોકો સંક્રમિત થયા છે.બીજી તરફ, આરોગ્ય વિભાગે નવી એડવાઈઝરી જારી કરીને લોકોને કોરોના પ્રોટોકોલના નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે અને આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે રાજ્યમાં ચોથી લહેર આવી ગઈ છે.ડોકટરો અને આરોગ્ય સંસ્થાઓને પણ કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

બીજી તરફ, આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પાંચમા સેન્ટિનલ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે,પશ્ચિમ બંગાળના નવ જિલ્લાઓમાં ગયા અઠવાડિયે કોવિડ-19 માટે 10 ટકાથી વધુનો સકારાત્મક દર હતો.

 

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code