1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાવાયરસ અપડેટ:ભારતમાં 24 કલાકમાં 16,047 નવા કેસ નોંધાયા,54 લોકોના મોત
કોરોનાવાયરસ અપડેટ:ભારતમાં 24 કલાકમાં 16,047 નવા કેસ નોંધાયા,54 લોકોના મોત

કોરોનાવાયરસ અપડેટ:ભારતમાં 24 કલાકમાં 16,047 નવા કેસ નોંધાયા,54 લોકોના મોત

0
Social Share
  •  કોરોના વાયરસ કેસ અપડેટ
  • 24 કલાકમાં 16,047 નવા કેસ નોંધાયા
  • નવા COVID-19 કેસોમાં 25.8 ટકાનો ઉછાળો  

દિલ્હી:વિશ્વભરમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.કોરોના હજુ સાવ માટે ગયો નથી.ભારત દેશમાં પણ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે.જો વાત કરીએ છેલ્લા 24 કલાકની તો દેશમાં કોરોનાના 16 હજારથી વધુ કેસ નોંધાયા છે આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 16,047 નવા કેસ નોંધાયા છે અને 54 લોકોના મોત થયા છે.અત્યાર સુધીમાં કુલ 44,190,697 કેસ નોંધાયા છે.બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો તેમની સંખ્યા 128,261 છે. છેલ્લા 24 કલાકમાં 19,539 લોકો કોરોનાથી સાજા થયા છે, અત્યાર સુધીમાં 43,535,610 લોકો કોરોનાથી સાજા થયા છે.કોરોનાથી કુલ 526,826 લોકોના મોત થયા છે.

કોરોનાના વધતા કેસોને જોતા સરકાર દ્વારા રસીકરણ પણ તેજ કરવામાં આવ્યું છે અને લોકોને લાખોની સંખ્યામાં રસી આપવામાં આવી રહી છે.ત્યારે જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો  15,21,429 લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 2,07,03,71,204 રસીકરણ કરવામાં આવ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code