સમય અને સ્થિતિ અનુસાર દાન કરવાથી પણ બદલાય છે માણસનું ભવિષ્ય,જાણો કેવી રીતે?
- દાન કરવાનો સમય જાણો
- સ્થિતિ અનુસાર કરો દાન
- ઉનાળામાં આ વસ્તુનું કરો દાન
દાન કરવાને લઈને આપણા ધર્મમાં અનેક વાતો જણાવવામાં આવી છે. દાન શબ્દ આવતાની સાથે જ લોકોને દાનવીર કર્ણની યાદ આવી જાય કે જે વ્યક્તિને વિશ્વનો સૌથી મોટો દાનવીર કહેવામાં આવે છે. આવામાં દાનનું મહત્વ આજે પણ એટલું જ છે અને તેને લઈને અનેક વાતો તે લોકોએ જાણવી જોઈએ જે લોકો સમયાંતરે દાન કરતા રહેતા હોય છે.
કેટલાક લોકો શોખ માટે દાન કરતા હોય છે તો કેટલાક લોકો જીવનમાં પુણ્ય ભેગું કરવા માટે દાન કરતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે દાન કરવાની રીત અને યોગ્ય સમયની તો દાન કરનારા લોકોએ આ વાતને પણ જરૂરથી જાણવી જોઈએ.
શાસ્ત્રોના જાણકાર અને વિદ્વાનોના કહેવા અનુસાર દાન અને પૂણ્ય કરવાની પણ એક રીત હોય છે. જેમ કે જે લોકો દાન કરતા હોય છે તે લોકોએ ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ કારણ કે દાન કરવાથી માત્ર સંસાર સુખ જ નહીં પરંતુ મોક્ષની પ્રાપ્તિ મળે છે. જો ઉનાળાના સમયમાં દાન કરનાર લોકોની વાત કરવામાં આવે તો તે લોકોએ પાણીનું દાન કરવું, કેમ કે આ વિશ્વમાં પાણી આપનાર સૌથી મોટો દાનવીર ગણવામાં આવે છે અને તેને હકીકતમાં સૌથી મોટું પુણ્ય ગણવામાં આવે છે.
તરસ્યા વ્યક્તિને પાણી આપવું એ બહુ પુણ્ય છે. ઉનાળામાં લોકોને વારંવાર તરસ લાગે છે, આવી સ્થિતિમાં કોઇ તરસ્યાને પાણી પીવડાવવું તે ધર્મનું કાર્ય છે. આ સિઝનમાં લોકો મીઠું શરબત વહેંચે છે તો કેટલાક લોકો છાસ પીવડાવી લોકોની તરસ છીપાવે છે.
કેરીની જો વાત કરવામાં આવે તો શાસ્ત્રોમાં ફળના દાનનું મહત્વ પણ કહેવામાં આવ્યું છે. ઉનાળામાં સૌથી વધુ ફળદાયી કેરીનું દાન કરીને તમે દાન કાર્ય કરી શકો છો. એવું કહેવાય છે કે કેરીનો સીધો સંબંધ સૂર્ય ભગવાન સાથે છે અને તેનું દાન કરવાથી તમે સૂર્ય ભગવાનને પ્રસન્ન થાય છે. જે લોકોની કુંડળીમાં સૂર્ય નબળો હોય છે, તેઓ આ કરવાથી તેની સ્થિતિ મજબૂત કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે કેરીનું દાન કરવાથી કરિયરમાં સફળતા મળે છે.