
ચોમાસામાં આદુ હળદર-વાળુ દૂધ પીવાથી શરદી અને ખાસીમાં મળે છે રાહત, શરીરને ભેજવાળી સિઝનમાં મળે છે ગરમાટો
- હરદળ વાળું દૂધ શરદીમાં આપે છે રાહત
- આદુ નાખીને દૂધ પીવાથી ખાસી પણ મટે છે
સામાન્ય રીતે આ વાત સૌ કોઈ જાણે છે કે દૂધમાં હરદળ નાખીને જો પીવામાં આવે તો ઘણા ફાયદા થાય છે તેજ રીતે હરદળ વાળા દૂધમાં આદુને છીણીને તેનો રસ જો એડ કરવામાં આવે તો આ ફાયદા બમણા થી જાય છે અને ખઆસ કરીને ત્યારે કે જ્યારે હાલ ચોમાસું ચાલી રહ્યું છે,જ્યારે પણ તમે વરસાદમાં ભીંજાયને ઘરે આવો છો ત્યારે ગરમ દૂધમાં આદુનો રસ અને હરદળ નાખીને તેનું સેવન કરી લેવું જોઈએ જે તમને બીમાર પડવાથી બચાવે છે.
હળદર અને દૂધ સાથે પીવાના તો ઘણા ફાયદા છે. ઘણી વખત મોંઘી દાટ દવાઓ જે કામ નથી કરી શકતી તે કામ હળદર વાળું દૂધ કરી દે છે ખાસ કરીને શરદીમાં રાહત આપે છે જો શરદીની સાથે સાથે તમને ખાસી હોય તો એક ગ્લાસ ગરમ હરદળ વાળઆ દૂધમાં તને 1 ચમચી આદુનો રસ પણ મિક્સ કરીદો જેનાથઈ ખઆસી માં પણ રાહત મળે છે.
આદુ અને હરદળ બન્ને ગરમ દૂધમાં નાખઈને પીવાથી ગળાની ખરાશ અને ગળાનો દુખાવો મટે છે સાથે જ તાવ આવવાથી પણ બચી શકાય છે,જો તમે ભીંજાઈ ગયા હોય અને તમને ટાઢ ચઢી હોય તો ઠંડી પણ આ દૂધથી દૂર થી જાય છે અને ભેજ વાળી સિઝનમાં તમારા શરીરમાં ગરમાટો ઉત્પન્ન થાય છે જે તમને ઘ્રુજારી આવતા બચાવે છે.
જો વરસાદમાં પલળવાથઈ છાતીમાં કફ જમા થયો હોય તો તે આ આદુ અને હરદળ વાળઆ દૂધથી છૂટો પડીને શરદી વાટે કે કફ વાટે નીકળી જશે અને તમને રાહત મળશે. હળદરનું કામ કફ નો નાશ કરવો અને કફ થતો હોય તો એને સુકવવો છે.જ્યારે આદુ એન્ટિબેક્ટિરલ ગુણ ઘરાવે છે જે ખાસીમાં રહાત આપે છે
આદુ અને હળદર એંટીબાયોટિક, એંટીમાઈક્રોબાયલ અને એંટીવાઇરલ છે. એટ્લે કે હળદર ઇન્ફેકશન વાળા ઘણા બધા રોગ માટે મદદરૂપ છે.હળદર આપણને હાનિકારક સૂક્ષ્મ જીવો, જેરી પર્યાવરણીય તત્વો થી આપણને બચાવેછે.