1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે હવે ડ્રોન ટેકનોલોજીની લેવાશે મદદ
ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે હવે ડ્રોન ટેકનોલોજીની લેવાશે મદદ

ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે હવે ડ્રોન ટેકનોલોજીની લેવાશે મદદ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરે છે. પાટનગર ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ગાંધીનગર શહેરમાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી મનપા તંત્ર દ્વારા રોગચાળાને ડામવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. તેમજ શહેરમાં સર્વેની કામગીરીની સાથે ફોગીંગ કરવામાં આવી રહી છે. હવે મચ્છરોના ઉપદ્રવને ડામવા માટે મનપા તંત્ર દ્વારા ડોન ટેકનોલોજીનો ઉપયોગ લેવામાં આવશે. તળાવો કે મોટો હોજ તથા જ્યાં પહોંચી શકાય તેમ નથી તેવા સ્થળે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરાશે.

ગુજરાતમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ ગાંધીનગરમાં છે, દરમિયાન રાજ્યના અધિકારીઓ દ્વારા પણ અહીં બેઠક કરીને એન્ટી લારવા કામગીરી કરવા માટે ટકોર કરવામાં આવી હતી. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા એક સપ્તાહથી ખાસ ડ્રાઇવ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેરના ધાર્મિક, શૈક્ષણિક, કોમર્શીયલ સંસ્થાઓથી લઇને ઘરે ઘરે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ખાડા-ખાબોચીયામાં ઓઇલીંગ કરાઇ રહ્યું છે. બાંધકામ સાઇટો સહિત મચ્છરો મળે તે જગ્યાએ નોટિસ-દંડનીય કાર્યવાહી કરાઇ રહી છે. ફોગીંગ મશીનો દ્વારા ધુમાડા કરાઇ રહ્યા છે. હવે ડ્રોનનો ઉપયોગ પણ મચ્છરોને ડામવા માટે કોર્પોરેશન કરશે.

ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. એએમસી દ્વારા રોગચાળાને ડામવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં પણ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની સાથે ફોગિગ કરવામાં આવી રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code