1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાનું ગ્રહણઃ ગુજરાતમાં 2200થી વધારે ઉદ્યોગો બંધ હાલતમાં !
કોરોનાનું ગ્રહણઃ ગુજરાતમાં 2200થી વધારે ઉદ્યોગો બંધ હાલતમાં !

કોરોનાનું ગ્રહણઃ ગુજરાતમાં 2200થી વધારે ઉદ્યોગો બંધ હાલતમાં !

0
Social Share

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી હોવાનું જાણવા મળે છે. જ્યારે લોકો ફરીથી બેઠા થાય તે માટે સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ગુજરાતમાં લગભગ 2203 જેટલા ઉદ્યોગો બંધ હાલતમાં હોવાનું જાણવા મળે છે. અમદાવાદમાં સૌથી વધારે 229 જેટલા ઉદ્યોગો બંધ થયાનું જાણવા મળે છે. બીજી તરફ મંદીનો સામનો કરતા ગુજરાતમાં હાલ જીઆઈડીસીમાં 8539 જેટલા પ્લોટ અને 490 જેટલા શેડ ખાલી છે.

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નનો રાજ્યના ઉદ્યોગ વિભાગે લેખિતમાં જવાબમાં જણાવ્યું હતું કે, ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં 8539 પ્લોટ ખાલી પડયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 2670, ભરૂચમાં 1729, જામનગરમાં 536,રાજકોટમાં 357, પંચમહાલમાં 349, પાટણમાં 329, મહેસાણામાં 302, દાહોદમાં 273, સુરતમાં 271 અને ગાંધીનગરમાં 246 પ્લોટ ઔદ્યોગિક વસાહતોમાં ખાલી છે. બીજી તરફ ઔદ્યોગિક વસાહતમાં 490 જેટલા શેડ ખાલી પડેલા છે. મહેસાણામાં સૌથી વધુ 136, રાજકોટમાં 127, બનાસકાંઠામાં 46, સુરેન્દ્રનગરમાં 44 શેડ ખાલી પડેલા છે. અમદાવાદના ઔદ્યોગિક વસાહતમાં 40 જેટલા પ્લોટ ખાલી પડ્યાં છે.  ખાલી પડેલા પ્લોટની સંખ્યા 40 છે.

ઔદ્યોગિક વસાહતોમાં બંધ પડેલા ઉદ્યોગોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. હાલ રાજ્યમાં લગભગ 2203 જેટલા ઉદ્યોગો બંધ હાલતમાં છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 229, સુરતમાં 180, ભરૂચમાં 178, કચ્છમાં 166, ભાવનગરમાં 158, રાજકોટમાં 154, વડોદરામાં 140, ગાંધીનગરમાં 125 અને પોરબંદરમાં 110નો સમાવેશ થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code