1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. હલકા-ફૂલકા દેખાતા મમરા પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદો, જાણો કઈ બીમારીમાં આપે છે રાહત
હલકા-ફૂલકા દેખાતા મમરા પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદો, જાણો કઈ બીમારીમાં આપે છે રાહત

હલકા-ફૂલકા દેખાતા મમરા પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદો, જાણો કઈ બીમારીમાં આપે છે રાહત

0
Social Share

સામાન્ય રીતે દરરોજ સવારમાં આપણે હેલ્ઘી નાસ્તો કરવાનું પસંદ કરીએ છીએ ખાસ કરીને આજે હળવા નાસ્તા એટલે કે મમરા વિશે વાત કરીશું મમરાનું સેવન શરીરને અનેક બીમારીથી રક્ષણ આપે છે.મમરા ખાવાના ઘણા ફાયદાઓ છે. તો ચાલો જાણીએ શા માટે મમરાનું સેવન કરવું જરુરી છે.

 મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર મમરા ખાવાથી શરીરમાં પોષક તત્વો પણ પૂરા પાડવામાં આવે છે. ખરેખર, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, કેલ્શિયમ જેવા અન્ય ઘણા ખનિજો તેમાં હાજર છે. આ સિવાય પફ્ડ રાઇસમાં વિટામિન-બી, થિયામીન, રિબોફ્લેવિન, નિયાસિન અને પેન્ટોથેનિક એસિડ પણ હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ બનાવે છે

મમરાનું સેવન કરવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. કારણ કે મમરામાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. તેથી તેનું સેવન કરવાથી કોઈ નબળાઈ આવતી નથી.મમરાના સેવનથી હાડકાઓ પણ મજબૂત બને છે,કારણ કે કેલ્શિયમની સાથે-સાથે મેગ્નેશિયમ પણ સારી માત્રામાં  જોવા મળે છે.

આ સહીત મમરા ખૂબ જ હળવા હોવાથી પચવામાં સરળ છે. આ સાથે તેમાં ફાઈબર પણ ભરપૂર હોય છે, જે પાચન શક્તિને મજબૂત બનાવે છે અને કબજિયાત, સ્થૂળતાની સમસ્યાથી રાહત આપે છે.તે હાડકાંને મજબૂત બનાવે છે હાડકાંને મજબુત બનાવવામાં પણ પોફેલા ચોખા મદદરૂપ સાબિત થઈ શકે છે.
એક રિસર્ચ અનુસાર, મમરામાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બૂસ્ટ એનર્જી મમરા કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે, જે શરીરની 60-70 ટકા ઊર્જાની જરૂરિયાત પૂરી કરે છે. જે તમારા શરીરની ઉર્જા વધારવામાં મદદરૂપ છે.
મમરા વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ સ્થૂળતા ઘટાડવા માટે, ઓછી કેલરીવાળા ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. તેથી જો તમે સ્થૂળતા ઘટાડવા માંગો છો, તો મમરાનું સેવન સરળતાથી કરી શકાય છે. તેમાં કેલરી ઓછી હોય છે,વજન ઘટાડવા માટે ફાયદાકારક સાબિત થશે.
મમરાનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેઓ સરળતાથી કોઈ પણ રોગનો શિકાર બની જાય છે. આવી સ્થિતિમાં, તમે મમરાને  ખોરાકમાં સામેલ કરીને રોગપ્રતિકારક શક્તિને વધારી શકો છો.તેમાં વિટામિન-બી પૂરતી માત્રામાં હોય છે. આ વિટામિન ત્વચાની સમસ્યાઓ દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code