સામાન્ય રીતે દરરોજ સવારમાં આપણે હેલ્ઘી નાસ્તો કરવાનું પસંદ કરીએ છીએ ખાસ કરીને આજે હળવા નાસ્તા એટલે કે મમરા વિશે વાત કરીશું મમરાનું સેવન શરીરને અનેક બીમારીથી રક્ષણ આપે છે.મમરા ખાવાના ઘણા ફાયદાઓ છે. તો ચાલો જાણીએ શા માટે મમરાનું સેવન કરવું જરુરી છે.
મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર મમરા ખાવાથી શરીરમાં પોષક તત્વો પણ પૂરા પાડવામાં આવે છે. ખરેખર, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, કેલ્શિયમ જેવા અન્ય ઘણા ખનિજો તેમાં હાજર છે. આ સિવાય પફ્ડ રાઇસમાં વિટામિન-બી, થિયામીન, રિબોફ્લેવિન, નિયાસિન અને પેન્ટોથેનિક એસિડ પણ હોય છે, જે તમારા શરીરને સ્વસ્થ બનાવે છે
મમરાનું સેવન કરવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહે છે. કારણ કે મમરામાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. તેથી તેનું સેવન કરવાથી કોઈ નબળાઈ આવતી નથી.મમરાના સેવનથી હાડકાઓ પણ મજબૂત બને છે,કારણ કે કેલ્શિયમની સાથે-સાથે મેગ્નેશિયમ પણ સારી માત્રામાં જોવા મળે છે.