1. Home
  2. ગુજરાતી
  3. વિદેશ મંત્રી જયશંકર ઇજિપ્તની લેશે મુલાકાત,આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા
વિદેશ મંત્રી જયશંકર ઇજિપ્તની લેશે મુલાકાત,આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા

વિદેશ મંત્રી જયશંકર ઇજિપ્તની લેશે મુલાકાત,આ મુદ્દાઓ પર કરી શકે છે ચર્ચા

0
Social Share

દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર બે દિવસીય મુલાકાતે ઇજિપ્તની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ આફ્રિકન દેશ અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના નવા માર્ગો પર ચર્ચા કરશે.વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી હતી. મંત્રાલયના નિવેદન અનુસાર, વિદેશ મંત્રી તરીકે જયશંકરની ઇજિપ્તની આ પ્રથમ મુલાકાત હશે.તેઓ 15-16 ઓક્ટોબર દરમિયાન ઈજિપ્તની મુલાકાતે જશે. ઇજિપ્તની તેમની મુલાકાત દરમિયાન, જયશંકર તેમના સમકક્ષ સામેહ શૌકરી સાથે પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જયશંકર ઇજિપ્તમાં વિદ્યાર્થીઓ સહિત ભારતીય સમુદાય સાથે પણ ચર્ચા કરશે અને ઇજિપ્ત-ભારતીય બિઝનેસ કોમ્યુનિટી કોન્ફરન્સને સંબોધિત કરશે. મંત્રાલયે કહ્યું કે વિદેશ મંત્રી જયશંકરની ઇજિપ્તની મુલાકાત દ્વિપક્ષીય અને બહુપક્ષીય સંબંધોના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરવાની અને ઇજિપ્તના નેતૃત્વ સાથે પરસ્પર હિતના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે.આ મુલાકાત સહકારને વધુ ગાઢ બનાવવા અને દ્વિપક્ષીય જોડાણના નવા રસ્તાઓ શોધવાની તક પૂરી પાડશે.તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને ઇજિપ્ત ઉષ્માભર્યા મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલા છે.

બંને દેશો આ વર્ષે તેમના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. 2022-23માં ભારતના G20 ની અધ્યક્ષતા દરમિયાન ઇજિપ્તને ‘ગેસ્ટ કન્ટ્રી’ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઈજીપ્ત આફ્રિકામાં ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને દ્વિપક્ષીય વેપાર, વાણિજ્ય અને રોકાણ આ મુલાકાતનું કેન્દ્રબિંદુ હશે. નાણાકીય વર્ષ 2021-22માં ભારત-ઇજિપ્ત દ્વિપક્ષીય વેપાર 7.26 અરબ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ઇજિપ્તમાં ભારતીય રોકાણ 3.15 અરબ ડોલરને વટાવી ગયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code