1. Home
  2. ગુજરાતી
  3. ખાલિસ્તાનીઓ સામેની કાર્યવાહીને પગલે દિલ્હી અને પંજાબ પોલીસ ઉપર હુમલાની આશંકા
ખાલિસ્તાનીઓ સામેની કાર્યવાહીને પગલે દિલ્હી અને પંજાબ પોલીસ ઉપર હુમલાની આશંકા

ખાલિસ્તાનીઓ સામેની કાર્યવાહીને પગલે દિલ્હી અને પંજાબ પોલીસ ઉપર હુમલાની આશંકા

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહીને પગલે ખાલીસ્તાનીઓમાં ફફડાટ ફેલાયો છે. એટલું જ નહીં આ કાર્યવાહીને લઈને ખાલિસ્તાનીઓ પંજાબ અને દિલ્હી પોલીસ ઉપર હુમલો કરે તેવી ગુપ્તચરતંત્રની માહિતીના આધારે પોલીસ એલર્ટ થઈ ગઈ છે, તેમજ દિલ્હી અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. કેનાડામાં છુપાયેલા ખાલિસ્તાનીઓના નેટવર્કને તોડી પાડવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ પંજાબમાં પોલીસ દ્વારા એનઆઈએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સાથે મળીને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં પોલીસ દ્વારા પંજાબમાં લગભગ 37 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન હથિયારોની સાથે રોકડ રકમની ટ્રાન્સફરને લઈને કેટલીક મહત્વની માહિતી મળી આવી હતી. આ ઉપરાંત 30 જેટલા શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી. એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ શંકાસ્પદની આગવી ઢબે પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત ગેંગસ્ટર ગોલ્ડી બરાડ તથા અન્ય ગેંરસ્ટર અને આતંકવાદીઓને મદદ કરનારાઓના નિવાસસ્થાનો ઉપર તપાસ કરવામાં આવી હતી. વિદેશમાં છુપાયેલા આતંકવાદીઓ અને ગેંગસ્ટરને મદદ કરનારા શખ્સો ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાની ઘટનામાં કેનેડાના પીએમ ટ્રૂડોએ ભારત સામે કરેલા કરેલા આક્ષેપ બાદ બંને દેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. બીજી તરફ બાંગ્લાદેશ સહિતના વિવિધ દેશોએ ભારતને સમર્થન આપીને પીએમ ટ્રૂડોને પુરાવા રજુ કરવા માટે અપીલ કરી હતી. જ્યારે પાકિસ્તાને કેનેડાના પીએમને સમર્થન આપ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code