1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂર્વ સિનિયર મંત્રીઓને હવે આગળની હરોળમાં સ્થાન અપાશે
ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂર્વ સિનિયર મંત્રીઓને હવે આગળની હરોળમાં સ્થાન અપાશે

ગુજરાત વિધાનસભા ગૃહમાં પૂર્વ સિનિયર મંત્રીઓને હવે આગળની હરોળમાં સ્થાન અપાશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો આવતી કાલે તા.27મીને સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. વિધાનસભામાં અગાઉની રૂપાણી સરકારના મંત્રીઓને પાછળની હરોળમાં છેક છેલ્લે સ્થાન આપવાનું નક્કી કરાયું હતું પણ વિરોધનો સૂર ઉઠતા હવે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સિનિયર પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ પાછળ બેસાડવાને બદલે પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવશે. મુખ્યમંત્રી અને મંત્રીઓની પડખેની પ્રથમ લાઇનમાં બેસાડવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની બે દિવસની બેઠકમાં નવી સરકારના નવા મંત્રીઓ પાછલી હરોળમાંથી પ્રથમ હરોળમાં બેસશે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સિનિયર પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ પાછળ બેસાડવાને બદલે પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવશે. મુખ્યમંત્રી અને મંત્રીઓની પડખેની પ્રથમ લાઇનમાં બેસાડવામાં આવશે. ગુજરાત સરકારમાં ધરખમ ફેરફારો સાથે આખી સરકાર જ નવી બનાવવામાં આવી છે, જ્યારે જૂની સરકાર અને સિનિયર મંત્રીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે, ખાસ કરીને વિધાનસભાની બેઠક વ્યવસ્થામાં પૂર્વ મુખ્યમંત્રી સહિતના સિનિયર મંત્રીઓને પાછળની હરોળમાં સ્થાન આપી અપમાન જનક સ્થિતિમાં મુકાવવું ના પડે અને તેમનું માન સમ્માન જળવાય તે માટે વિધાનસભામાં નવી સરકારની પડખેની પ્રથમ હરોળમાં બેસાડવામાં આવશે. ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બાકીના પૂર્વ મંત્રીઓને તો પાછળની લાઈનમાં જ બેસવું પડશે.

કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ગુજરાત વિધાનસભામાં સભ્યોને બેસવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાતું હોવાથી એક પાટલી પર બેને બદલે એક જ સભ્ય બેસી શકે છે. આ કારણસર છ માસ પહેલાં માર્ચમાં મળેલાં સત્ર દરમિયાન સિનિયર ધારાસભ્યોને ગૃહની અંદર પાટલી પર બેસાડાયા હતા, જ્યારે જુનિયર ધારાસભ્યોને વ્યૂઇંગ ગેલેરી એટલે કે પ્રેક્ષક દિર્ઘામાં બેસાડાયા હતા. આ સંજોગોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના દસ મંત્રીઓને વ્યૂઇંગ ગેલેરીમાં બેસવું પડ્યું હતું. હવે આ દસ ધારાસભ્યો મંત્રીમંડળના સભ્યો હોઇ ટ્રેઝરી બેંચમાં ગૃહમાં આગળની હરોળમાં ગોઠવાશે.

આ નવ સભ્યોમાંથી પહેલી વ્યૂઇંગ ગેલેરીમાં મુખ્યમંત્રી પટેલ ઉપરાંત હાલના કેબિનેટ કક્ષાના મંત્રીઓમાંના ત્રણ પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ અને રાજ્યકક્ષાના મંત્રીઓ અરવિંદ રૈયાણી, દેવા માલમ, રાઘવજી પટેલ અને ગજેન્દ્રસિંહ પરમાર બેસતા હતા. જ્યારે બીજી વ્યૂઇંગ ગેલેરીમાં કુબેર ડિંડોર અને વિનોદ મોરડિયા બેસતા હતા તથા બ્રિજેશ મેરજા ત્રીજી ગેલેરીમાં બેસતા હતા. ભૂતપૂર્વ મંત્રીઓને ત્રીજી ચોથી હરોળમાં બેસવું પડશે, રાજેન્દ્ર ત્રિવેદીના સ્થાને અધ્યક્ષપદે નીમાબેન બેસશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code