1. Home
  2. ગુજરાતી
  3. કપિલ શર્માના શો માં ખડખડાટ હસતી અને કોમેડી શોમાં જજની ભૂમિકા કરતી અર્ચના પુરન સિંહનો આજે 59મો જન્મદિવસ – બોલિવૂડની અનેક ફિલ્મોમાં કરી છે શાનદાર એક્ટિંગ
કપિલ શર્માના શો માં ખડખડાટ હસતી અને  કોમેડી શોમાં જજની ભૂમિકા કરતી અર્ચના પુરન સિંહનો આજે  59મો જન્મદિવસ – બોલિવૂડની અનેક ફિલ્મોમાં કરી છે શાનદાર એક્ટિંગ

કપિલ શર્માના શો માં ખડખડાટ હસતી અને કોમેડી શોમાં જજની ભૂમિકા કરતી અર્ચના પુરન સિંહનો આજે 59મો જન્મદિવસ – બોલિવૂડની અનેક ફિલ્મોમાં કરી છે શાનદાર એક્ટિંગ

0
  • અર્ચના પરુરન સિંહનો આજે જન્મદિવસ
  • અનેક ફઇલ્મોમાં કર્યું છે કામ
  • કોમેડી શા માં જજ પણ રહી ચૂકી છે
  • હાલ કમિલ શર્માના શોમાં જજ તરીકે જોવા મળે છે

 

મુંબઈઃ જો હસવામાં દરેકને પાછળ રાખવાનું કોમ્પિટિશન હોય તો ચોક્કસ કપિલ શર્મામાં જોવા મળતી અર્ચના સિંહ ચોક્કસ જીતે, જી હા તેનું ખડખડાટ હાસ્ય બીજાઓના ચહેરા પર હા,સ્ય લાવી દે છે, ત્યારે આજ રોજ અર્ચના પુરન સિંહ પોતાનો 59મો જન્મ દિવસ મનાવી રહી છે.

અર્ચના પુરન સિંહનો 26 સપ્ટેમ્બર 1962 ના રોજ દેહરાદૂનમાં થયો હતો છે. અર્ચનાએ ઘણી જાણીતી બોલિવૂડ ફિલ્મો અને ટીવી શોમાં કામ કરીને પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવી છે.અભિનેત્રી સિવાય તેણે અનેક કોમેડી શો માં જજની ભુમિકા પણ નિભાવી છે. અર્ચના અત્યાર સુધી 100 થી વધુ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં જોવા મળી ચૂકી છે.

અર્ચના પહેલી વખત દર્શકોને ‘કોમેડી સર્કસ’માં જજ તરીકે જોવા મળી હતી અને ત્યાર બાદ તેણે આ શોની ઘણી સીઝન્સ જજ કરી છે. આહાલમાં પણ તે ‘ધ કપિલ શર્મા શો’ નવજોત સિંહ સિદ્ધુની જગ્યાએ જોવા મળી રહી છે.

અર્ચનાએ ટીવી ફિલ્મ અભિષેકથી મનોરંજન જગતમાં પ્રવેશ કર્યો હતો. તે જ વર્ષે, તે નસીરુદ્દીન શાહની સામે ફિલ્મ જલવામાં પણ જોવા મળી હતી. આ સિવાય તેણે ‘અગ્નિપથ’, ‘સૌદાગર’, ‘શોલા ઓર શબનમ’, ‘આશિક આવારા’, ‘રાજા હિન્દુસ્તાની’ અને ‘બાઝ’ જેવી ફિલ્મોમાં પમ શાનદાર અભિનય કર્યો છે. અર્ચનાને ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં મિસ બ્રિગાન્ઝા તરીકે સૌથી વધુ પસંદ કરવામાં આવી હતી.

વર્ષ 1993 માં અર્ચના ટીવી શો ‘વાહ ક્યા સીન હૈ’માં જોવા મળી હતી. આ સાથે, તે ‘શ્રીમાન શ્રીમતી’માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ સિવાય તેણે ‘જાને ભી દો પારો’ અને ‘નેહલે પે દેહલા’ જેવા શોનું નિર્દેશન પણ કર્યું છે. અર્ચના સારી જજ પણ રહી છે. તેના પતિ પરમીત સેઠી સાથે, અર્ચનાએ ‘ઝલક દિખલા જા’ અને ‘કહો ના યાર હૈ’ સહિત અનેક શો હોસ્ટ કર્યા છે.

અર્ચના તેની પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં આવી ચૂકી છે,. અર્ચનાએ પરમીત સેઠી સાથે બીજા લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નજીવન બરાબર રહ્યું નહોતું ત્યારબાદ તેમણે છૂટાછેડા લીધા. અર્ચના અને પરમીત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ મળ્યા અને ધીરે ધીરે તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ અને લગ્ન કર્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code