GSTને ચાર વર્ષ પૂર્ણઃ 45 ટકા ગ્રાહકો જીએસટીની વ્યવસ્થાને લઈને સંતુષ્ટ
દિલ્હીઃ દેશમાં તા. 1 જુલાઈ 2017ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. આજે જીએસટી લાગુ કરાયાને ચાર વર્ષ થયાં છે. દરમિયાન મોટાભાગના ગ્રાહકો જીએસટીના દર ઘટાડવાની માંગણી છે. એક સર્વે અનુસાર 3માંથી બે ગ્રાહકો હાલના દરમાં ફેરફાર કરીને તેનો ઘટાડવાની માંગણી કરી રહ્યાં છે. જેથી તેમના ઉપર ટેક્સનો બોજો ઘટશે.
લોકલ સર્કીલ દ્વારા કરવામાં આવેલા સર્વે કરવામાં આવ્યો હતો. ગ્રાહકો અને વેપારીઓ પાસેથી અનેક સુચનો મેળવ્યાં હતા. સર્વે અનુસાર 55 ટકા ગ્રાહકો ઈચ્છે છે કે 12 ટકા અને 18 ટકાના સ્લેબને મેળવીને નવો સ્લેબ 15 ટકા કરવામાં આવે. 68 ટકા ગ્રાહકો સર્વીસ સેકટર પર જીએસટીનાં દર ઘટાડીને 12 ટકા કરવામાંની માંગણી કરી રહ્યાં છે. 45 ટકા ગ્રાહકો જીએસટીની વ્યવસ્થાને લઈને સંતુષ્ટ છે.જયારે 29 ટકાએ અસંતોષ દર્શાવ્યો હતો. 44 ટકા ગ્રાહકો ઈચ્છે છે કે જીએસટી અંતગર્ત ત્રણ ટેકસ રેટ હોય જયારે 22 ટકાને બે રેટ પસંદ છે.
વેપારીઓએ જણાવ્યું હતું કે જીએસટીએન વેબ સાઈટથી રિટર્ન ભરવાની સમસ્યા થઈ છે. 64 ટકા વેપારીઓના મતે જીએસટી લાગુ થયા બાદ માસીક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચાર્જ વધ્યો છે. 47 ટકા વેપારીઓએ ઈનપુટ અને આઉટપુટ ઈનવોઈસનું મળવુ સૌથી મુશ્કેલ માની રહ્યાં છે. નાણા મંત્રાલય 54000 થી વધુ કરદાતાઓને યોગ્ય સમયે રિટર્ન દાખલ કરવા અને કરનુ રોકડ ચુકવણું કરવા પર સન્માન કરશે. નાણા મંત્રાલયે જણાવ્યુ હતું કે અત્યાર સુધીમાં 66 કરોડથી વધુ જીએસટી રિટર્ન દાખલ થયા છે. જીએસટીએ પાલનને સરળ બનાવ્યું છે 40 લાખ રૂપિયા સુધીના વેપારવાળા વેપારીઓને કરથી મુકિત અપાઈ છે.