1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી ધો. 5થી 8ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થવાની શક્યતા
રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી ધો. 5થી 8ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થવાની શક્યતા

રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી ધો. 5થી 8ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થવાની શક્યતા

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો સાવ હળવા કરી દેતા જનજીવન પણ રાબેતા મુજબ બની ગયું છે. ધો. 12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણની મંજુરી આપ્યા બાદ ધો.9થી 11ની શાળાઓને પણ ફલાઈન શિક્ષણની મંજુરી આપતા શાળાઓ વિદ્યાર્થીઓના કાલાહટથી ગુંજવા લાગી છે. હવે શાળા સંચાલકોની માગણી બાદ સરકાર ધો 5થી 8ની શાળાઓમાં શરૂ કરવા સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. જો કે નાના ભૂલકાંઓના ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવાની શિક્ષણ વિભાગને કોઈ ઉતાવળ નહીં હોવાનું જાણવા મળ્યું છે, તે જોતા ધોરણ 1 થી 5ની શાળા દિવાળી પછી શરૂ થઈ શકે છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં ઘટાડો થતા જ શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોરણ 9 થી12 અને કોલેજોમાં શરૂ થયેલા શૈક્ષણિક કાર્ય બાદ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયાથી ધોરણ 5 થી 8ની સ્કૂલો શરૂ કરવામાં આવી શકે છે, જો કે નાના ભૂલકાંઓના ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવાની શિક્ષણ વિભાગને કોઈ ઉતાવળ નહીં હોવાનું જાણવા મળ્યું છે, તે જોતા ધોરણ 1 થી 5ની શાળા દિવાળી પછી શરૂ થઈ શકે છે.

સમગ્ર ગુજરાતમાં 15 જુલાઈથી ધોરણ 12 અને 26 જુલાઈથી ધોરણ 9થી 11ની ઓફલાઈન સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેતો આપ્યાં છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હળવું થતાં ધોરણ 9થી 11ના વર્ગો શરૂ થયાં છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે.બીજા વર્ગો શરૂ કરવા મુદ્દે કોર કમિટીની બેઠક મળશે. જેમાં વધુ વર્ગો ક્યારે શરૂ કરવા તેનો નિર્ણય લેવામાં આવશે. જો કે બાળકોએ શાળાએ આવવું ફરજીયાત નથી.

બીજી તરફ સ્કૂલોએ ફરજીયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે તેમ શિક્ષણમંત્રી એ જણાવ્યું હતું.  શિક્ષણ મંત્રીએ આપેલા સંકેત મુજબ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલના વર્ગોની સાફ સફાઈ માટે પણ સૂચના આપવામાં આવી છે. ઓગસ્ટ માસની શરૂઆતથી ધોરણ 5 થી 8 ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. 15 ઓગસ્ટ બાદ ધોરણ 1થી 5 શરૂ કરવા બાબતે સરકાર હાલ કોઈ જોખમ લેવા તૈયાર નથી. જેથી દિવાળી પછી નાના ભૂલકાંઓનું શિક્ષણ કાર્ય શરૂ કરવાની વિચારણા હાથ ધરવામાં આવશે.

હાલ જે શૈક્ષણિક કાર્ય શરૂ થશે તેમાં 50 ટકા કેપિસિટી સાથે ઓડ ઈવન પદ્ધતિ પ્રમાણે વર્ગો શરૂ કરવાની સરકારની તૈયારી છે. આ ઉપરાંત સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત રાખવામાં આવશે. વાલીના સહમતીપત્રક સાથે જ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવશે. આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે કોર કમિટીની બેઠકમાં ચર્ચા થશે. આ અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર વિધિવત રીતે જાહેરાત કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code