1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને વિવિધ વિકાસ કામો માટે સરકારે રૂ. 702 કરોડ ફાળવ્યાં
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને વિવિધ વિકાસ કામો માટે સરકારે રૂ. 702 કરોડ ફાળવ્યાં

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને વિવિધ વિકાસ કામો માટે સરકારે રૂ. 702 કરોડ ફાળવ્યાં

0
Social Share

અમદાવાદ:  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને  વિવિધ વિકાસ કામો  માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો જનહિત સુખાકારી નિર્ણય કર્યો છે. આ રકમ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રીએ  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને  રોડ રિસરફેસીંગ  તથા માઇક્રો સરફેસીંગ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો, પાણી પૂરવઠાના કામો તથા ફાયર સાધનો, તળાવ ડેવલપમેન્ટ  વિગેરે માટે 354.80 કરોડ રૂપિયા ફાળવ્યા છે.  બિલ્ડીંગ, શાળા, બોર્ડ ઓફિસ, મલ્ટીલેવલ પાર્કિગ જેવા સામાજિક આંતરમાળખાકીય વિકાસના 6 કામો માટે 85 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં 2 રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અન્ડરબ્રીજના કામો માટે 8 કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ ફાળવ્યા છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગતના રસ્તાના કુલ 41 કામો માટે રૂ. 90 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉપરાંત રોડ, રસ્તા, પાણી, ગટર વિગેરેના હાલમાં કાર્યરત પ્રોજેકટસ માટે રૂ. 164 કરોડ ફાળવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સમગ્રતયા અમદાવાદ મહાનગર પાલીકા વિસ્તારના બહુવિધ વિકાસ કામો માટે 702 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે. આના પરિણામે અમદાવાદ મહાનગરના વિકાસ કામોમાં વધુ ગતિ આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code