1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારનું આકરુ વલણઃ ભારતમાં સોશિયલ મીડિયાએ નિયમોનું પાલન કરવુ પડશે
સરકારનું આકરુ વલણઃ ભારતમાં સોશિયલ મીડિયાએ નિયમોનું પાલન કરવુ પડશે

સરકારનું આકરુ વલણઃ ભારતમાં સોશિયલ મીડિયાએ નિયમોનું પાલન કરવુ પડશે

0
Social Share

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે અને આંદોલન કરી રહ્યાં છે. આ આંદોલનમાં સોશિયલ મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. દરમિયાન સોશિયલ મીડિયા કંપનીઓને ચેતવણી આપી છે. ફેક ન્યૂઝ અને ભડકાઉ સામગ્રી શેર કરવામાં આવશે તો આવા પ્લેટફોર્મ સામે સરકાર કાર્યવાહી કરશે.

કેન્દ્રના મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, ટ્વિટર અને ફેસબૂક જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ દેશમાં બિઝનેસ કરવો હશે તો ભારતના નિયમોનુ પાલન કરવાનુ રહેશે. બોલવાની આઝાદી ચોક્કસ છે પણ ભારતના બંધારણનો આર્ટિકલ 19 એ કહે છે કે, તેમાં કેટલાક નિયંત્રણો પણ છે. અમે સોશિયલ મીડિયાનુ સન્માન કરીએ છે ,તેનાથી સામાન્ય માણસ મજબૂત બન્યો છે.ડિજિટલ ઈન્ડિયામાં પણ સોશિયલ મીડિયાની મહત્વની ભૂમિકા છે. જો કે, ફેક ન્યૂઝ અને ભડકાઉ વાતો ફેલાવવા માટે તેનો દુરપયોગ પણ થાય છે અને તેની સામે સરકાર કાર્યવાહી કરશે. તમામ સોશિયલ મિડિયા કંપનીઓએ ભારતના બંધારણનુ પાલન કરવુ પડશે. જો સોશિયલ મીડિયા કંપનીઓએ દેશમાં બિઝનેસ કરવો હોય તો ભારતીય કાયદાઓનુ પાલન કરવુ પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે ટ્વિટર સામે બુધવારે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે, ખેડૂતોને ભડકાવી શકે તેવા ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાના સરકારના આદેશનુ ટ્વિટરે પાલન કર્યુ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code