1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિનની શાનદાર ઊજવણી કરાઈ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિનની શાનદાર ઊજવણી કરાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિનની શાનદાર ઊજવણી કરાઈ

0
Social Share

અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જ્યંતિએ રાજ્યમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસ ની શાનદાર ઊજવણી કરાઇ હતી.. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહએ  ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં દરેકને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.

સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતી નિમિતે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઇ હતી. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તેઓ એકતા પરેડમાં હાજરી આપી હતી અને તેઓએ એકતા પરેડની સલામી ઝીલી હતી. આ પ્રસંગે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજ્યોની પોલીસની મોટર સાઇકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું હતું. પીએમ મોદી જી-20 સંમેલનમાં હોવાથી તેઓએ પોતાનો વીડિયો સંદેશ રાષ્ટ્રીય એકતા દિવસે આપ્યો હતો.

વડાપ્રધાન મોદીએ વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, ભારત એક ભૌગોલિક વિસ્તાર નથી, પણ આદર્શ, સભ્યતા અને સંસ્કૃતિનું રાષ્ટ્ર છે. સરદાર પટેલ હંમેશા ઇચ્છતા હતા, ભારત સશક્ત હોય, સંવેદનશિલ હોય અને વિકસીત પણ હોય, આજે ભારત બહાર અને આંતરિક મુશ્કેલીઓની સામે લડી શકે છે. જમ્મુ-કાશ્મીર હોય કે હિમાચલ હોય તમામ સ્થળો વિકસીત થઇ રહ્યા છે દેશના દરેક ખૂણે પહોંચવાની આસાની થશે તો, દિલોની દૂરી ઓછી થશે અને દેશમાં એકતા સ્થપાશે.પોતાના હિતોની સુરક્ષા માટે ભારત આત્મનિર્ભરતાના નવા મિશન પર નિકળી પડ્યું છે. આપણે ખરીદી વખતે એ વખતે એ વિચારવુ જોઇએ કે, આપણે આત્મનિર્ભરતા માટે સહયોગ આપી રહ્યા છીએ કે, તેનાથી વિપરીત કરી રહ્યા છીએ. નાનામાં નાનુ કામ પણ મહાન હોય છે. દેશની એકતા અને અખંડિતતા માટે આપણો દરેક પ્રયાસ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ હશે એકતાની કમી જ્યાં નવા સંકટ લાવે છે, સામૂહિક પ્રયાસ દેશને નવી ઊંચાઇ પર લઇ જાય છે.

કેવડિયા ખાતે સરદારની પ્રતિમાને નમન કર્યા બાદ ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાં બલિદાન આપનાર લાખો વીર જવાનોને આજે યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. હું કરોડો દેશવાસીઓને કહેવા માગુ છું કે, સદીઓમાં કોઇ એક જ સરદાર બની શકે છે, તે સદીઓ સુધી અલખ જગાવે છે. કેવડિયા આજે તીર્થસ્થાન બની ગયું છે, દેશ ભક્તિનું તીર્થસ્થાન બની ગયું છે. ચાણક્ય પછી સરદાર પટેલે દેશને એકજૂટ કરવાનું કામ કર્યું હતું, જેના કારણે આજે આપણો દેશ એક થઇને આગળ વધી રહ્યો છે આઝાદી પછી સરદાર સાહેબને ભૂલાવવાનો પ્રયાસ કરાયો, તેમના યોગદાનને ક્યારેય યોગ્ય સ્થાન નહોતુ મળ્યું, તેમને ભારત રત્ન પણ નહોતો આપ્યો. આજે સરદાર સાહેબને ભારત રત્ન પણ મળ્યો છે અને આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ છે.

અહીં રોજ 15 હજારથી વધુ પ્રવાસીઓ આવે છે અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવે છે વડાપ્રધાન મોદીજીએ આપણી સામે એક સંકલ્પ રાખ્યો છે, આપણે આ વર્ષને સંકલ્પ વર્ષ તરીકે ઉજવણી કરવી જોઇએ આપણે 130 કરોડ લોકો આજે રાષ્ટ્રીય એકતા દિવસે એક-એક સંકલ્પ લેવો જોઇએ, તો 130 સકલ્પ દેશને આગળ લઇ જશે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા દિવસની ઉજવણી માટે બે દિવસ કેવડિયા આવવાના હતા પરંતુ તેમનો વિદેશ પ્રવાસ નિશ્ચિત થયો હોવાથી આ કાર્યક્રમમાં કોણ આવશે તે મોટો પ્રશ્ન હતો પરંતુ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેવડિયા પહોંચ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે સવારે કેવડિયા પહોંચ્યા હતા અને એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લઇને કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતોને પણ એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code