1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતી કોમના નાગરિકોને હવે સરળતાથી મળશે નાગરિકતા
ગુજરાતઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતી કોમના નાગરિકોને હવે સરળતાથી મળશે નાગરિકતા

ગુજરાતઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતી કોમના નાગરિકોને હવે સરળતાથી મળશે નાગરિકતા

0
Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને 1955ના નાગરિકત્વ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ દેશોમાંથી આવેલા આ લઘુમતીઓ હાલમાં ગુજરાતના બે જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), 2019ને બદલે, 1955ના નાગરિકતા અધિનિયમ હેઠળ આ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો નિર્ણય ખૂબ જ મહત્વ ધરાવે છે.

CAA હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવતા લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ છે. પરંતુ, આ અધિનિયમ હેઠળના નિયમો હજુ સુધી સરકાર દ્વારા બનાવવામાં આવ્યા નથી, તેથી આ હેઠળ કોઈને નાગરિકતા આપી શકાશે નહીં. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, 1955 અથવા એક્ટની કલમ 5 હેઠળ ભારતીય નાગરિક તરીકે નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવી છે તેમજ અધિનિયમની ધારા 6 અને નાગરિકતા નિયમો, 2009ની જોગવાઈઓ અનુસાર દેશીયકરણનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

નોટિફિકેશન મુજબ આ બે જિલ્લામાં રહેતા આવા લોકોએ નાગરિકતા માટે ઓનલાઈન અરજી કરવી પડશે. ત્યાર બાદ જિલ્લા કક્ષાએ કલેક્ટર દ્વારા અરજીઓની ચકાસણી કરવામાં આવશે. અરજી અને તેના પરનો અહેવાલ એક સાથે કેન્દ્ર સરકારને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code