1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ તલાટી કમ મંત્રીની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન, પરીક્ષાર્થીઓને પેપર અઘરુ લાગ્યું
ગુજરાતઃ તલાટી કમ મંત્રીની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન, પરીક્ષાર્થીઓને પેપર અઘરુ લાગ્યું

ગુજરાતઃ તલાટી કમ મંત્રીની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન, પરીક્ષાર્થીઓને પેપર અઘરુ લાગ્યું

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. અમદાવાદ સહિત રાજ્યના લગભગ 30 જિલ્લામાં 2694 પરીક્ષા કેન્દ્રોમાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રી પરીક્ષાનું તાજેતરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની સરખામણીએ પેપર અઘરુ હોવાનું પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું.

ગુજરાતમાં આજે રવિવારે તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં ગેરરીતી ના થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી હતી. બીજી તરફ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી ના પડે તે માટે ખાસ એસટી બસ દોડાવામાં આવી હતી. આ ઉપરાંત રેલવે અને ખાનગી સ્કૂલની બસો પણ દોડાવવામાં આવી હતી. એટલું જ નહીં પરીક્ષા કેન્દ્રો ઉપર કોલલેટરની તપાસ અને ઉમેદવારના શુટિંગ બાદ જ પરીક્ષાખંડમાં અપાયો પ્રવેશ. તેમજ વર્ગખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા.

ગેરરીતિ અટકાવવા DRDA જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટરની મુખ્ય ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ કરાઈ હતી. તલાટીની ભરતી પરીક્ષા માટે અગાઉ 8.64 લાખ ઉમેદવારોએ કન્ફરમેશન આપ્યું હતું. જે સ્પર્ધાત્મક પરીક્ષાના ઇતિહાસમાં રેકોર્ડબ્રેક સંખ્યા છે. તલાટીની પરીક્ષા માટે કુલ 2694 કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્યના વિવિધ એસટી સ્ટેન્ડ ઉપર સવારથી જ મોટી સંખ્યામાં ઉમેદવારોનો જમાવડો જોવા મળ્યો હતો. દરમિયાન આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પરીક્ષા કેન્દ્રો બહાર પરીક્ષા આપીને બહાર નીકળતા ઉમેદવારોએ જુનિયર ક્લાર્ક કરતા તલાટી કમ મંત્રી નું પેપર થોડુંક અઘરું રહ્યું હોવાનું જણાવ્યુ હતું. 2694 પરીક્ષા કેન્દ્રોના 28814 વર્ગખંડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેમેરાની નજર હેઠળ પરીક્ષા યોજાઈ હતી.

ભૂતકાળમાં સરકારી ભરતીની પરીક્ષાના પેપર લીક થવાની ઘટના સામે આવી હતી. તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષામાં કોઈ ગેરરીતી ના થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ થઈ હતી અને સમગ્ર પ્રક્રિયા ઉપર નજર રાખવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code