1. Home
  2. ગુજરાતી
  3. જ્ઞાનવાપી મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટે કેસ ડિસ્ટ્રિક્ટ જજને ટ્રાન્સફર કર્યો, 8 અઠવાડિયામાં સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ
જ્ઞાનવાપી મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટે કેસ ડિસ્ટ્રિક્ટ જજને ટ્રાન્સફર કર્યો, 8 અઠવાડિયામાં સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ

જ્ઞાનવાપી મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટે કેસ ડિસ્ટ્રિક્ટ જજને ટ્રાન્સફર કર્યો, 8 અઠવાડિયામાં સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ

0
Social Share

વારાણસી:સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદની અંદર ‘શ્રૃંગાર ગૌરી’ની પૂજા કરવાની પરવાનગી માંગતી અરજીઓને વારાણસીની સિવિલ કોર્ટમાંથી જિલ્લા ન્યાયાધીશને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રાન્સફર ઓર્ડરની સાથે કોર્ટે આ મામલે પ્રાથમિકતાના આધારે નિર્ણય લેવા જણાવ્યું છે.

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે સંબંધિત પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી અરજીઓ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો તેમજ વિવાદિત સ્થળની સુરક્ષા અંગેના તેના અગાઉના વચગાળાના આદેશને યથાવત રાખ્યો હતો.સર્વોચ્ચ અદાલતે જિલ્લા અધિકારીને વિવાદિત સ્થળ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવા તેમજ નમાજ પઢનારાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો.કોર્ટે સંબંધિત પક્ષકારો સાથે પરામર્શ કરીને નમાજની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો.

બેન્ચે મંગળવારે જારી કરેલા તેના વચગાળાના આદેશમાં રાજ્ય સરકારને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર સંકુલને અડીને આવેલા જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના વિસ્તારની સુરક્ષા કરવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યાં હિન્દુ પક્ષ અનુસાર ‘શિવલિંગ’ મળી આવ્યું હતું.સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું ,ક જ્ઞાનવાપી મસ્જિદમાં ‘નમાઝ’ અદા કરવાથી કોઈ પણ મુસ્લિમને રોકવામાં નહીં આવે અથવા અવરોધવામાં આવશે નહીં.

મસ્જિદ પક્ષના વકીલ એચ. અહમદીએ ટ્રાયલ કોર્ટમાં રજૂ કરાયેલ સર્વે રિપોર્ટના પ્રકાશન સામે વાંધો ઉઠાવ્યો હતો. સર્વેક્ષણ બાદ વિસ્તારને સીલ કરવાને કારણે નમાજ પઢવામાં પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને તેમણે સુપ્રીમ કોર્ટને 500 વર્ષથી પ્રવર્તતી મસ્જિદમાં યથાવત સ્થિતિ જાળવવા વિનંતી કરી હતી.તેમની દલીલો સાંભળ્યા પછી કોર્ટે જિલ્લા અધિકારીને સંબંધિત પક્ષકારો સાથે ચર્ચા કર્યા પછી પૂજા માટે યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ આપ્યો.

અરજદાર રાખી સિંહની આગેવાની હેઠળ પાંચ મહિલાઓએ ટ્રાયલ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદની અંદર પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી કરી હતી.આ મહિલાઓએ વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં શૃંગાર ગૌરી મંદિર હોવાની માન્યતાને ટાંકીને ત્યાં પૂજા કરવાની પરવાનગી માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. ઉનાળુ વેકેશન બાદ સુપ્રીમ કોર્ટ આ મામલે વધુ સુનાવણી કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code