1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડેડિયાપાડા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ, 10 ગામો સંપર્ક વિહોણા, મોહન નદી ગાંડીતૂર બની

ડેડિયાપાડા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ, 10 ગામો સંપર્ક વિહોણા, મોહન નદી ગાંડીતૂર બની

0
Social Share

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગારદા તથા મોટા જાંબુડા કિનારેથી પસાર થથી મોહન નદીમાં ઘોડાપૂર આવતા 10 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. જેના કારણે તંત્ર દ્વારા સ્થાનિક લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.. દેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારો ગારદા, ખામ, ભુતબેડા, મોટા જાંબુડા, મંડાળા સહિતના અનેક ગામડાઓમાં ભારે વરસાદથી બેટસમાન પાણી ભરાયા છે. ઘણાબધા ગામો સંપર્ક વિહોણા પણ બન્યા છે. તાલુકા મામલતદાર દ્વારા અસરગ્રસ્ત ગામોને રાહત પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં ભારે વરસાદને લીધે ડેડિયાપાડા તાલુકાની સ્થિતિ વિકટ બની છે.  મોહન નદી હાલ બેકાંઠે વહી રહી છે. જળસ્તરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરવાસમાં ખાબકી રહેલા ભારે વરસાદના પગલે મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો હતો. કોઝવે પર પણ 3 ફુટ જેટલું પાણી વહી રહ્યું હોવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બનતા હવે તંત્ર પણ દોડતું થયું છે.

અત્રે ઉલ્લેખનીચ છે કે, અંકલેશ્વર અને સુરત સાથે જોડતો આ એકમાત્ર રસ્તો છે. ચોમાસુ આવતા દર વર્ષે લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. આ બ્રિજ સાથે ગારદા, મોટા જાંબુડા, ભુતબેડા, તાબદા, મંડાળા, ખાબજી સહિતના અનેક ગામડાઓ જોડાયેલા છે. જે હાલ ભારે વરસાદના પગલે સંપર્ક વિહોણા બન્યા છે. જેના કારણે સામાન્ય વ્યવહાર ઉપરાંત વિદ્યાર્થીઓ સહિતના અનેક લોકો કોઝવેની મદદથી જ સુરત અને અંકલેશ્વર સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત નર્મદા જિલ્લાના આંતરિયાળ ગામડામાં પાણી ઉંચા ડુંગરો પરથી આવતું હોવાનાં કારણે પ્રવાહ ખુબ જ ધસમસતો પ્રવાહ હોય છે. જે વચ્ચે આવતી મજબુતમાં મજબુત વસ્તુને પણ પોતાની સાથે વહાવી જાય છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code