1. Home
  2. ગુજરાતી
  3. શીખોનું પવિત્રધામ ગણાતા હેમકુંડ સાહેબના કપાટ આજે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા
શીખોનું પવિત્રધામ ગણાતા હેમકુંડ સાહેબના કપાટ આજે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા

શીખોનું પવિત્રધામ ગણાતા હેમકુંડ સાહેબના કપાટ આજે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા

0
Social Share
  • આઅજથી હેમકુંડ સાહેબના કરી શકાશે દજર્શન
  • આજથી ખુલવામાં આવ્યા કપાટ

દિલ્હીઃ- આજે હેમકુંડ સાહેબના દર્શન કરનારાો હવેથી દર્શન કરી શકશે, કારણ કે આજથી એટલે કે 20 મેના રોજથી હેમકુંડ સબિહના દ્વાર આજે ભક્તો માટે ખોલવામાં આવી રહ્યા છે. યાત્રાના રૂટ પર ભારે બરફ પડવાના કારણે આ વખતે 60 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને શ્રદ્ધાળુઓને યાત્રામાં પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

હેમકુંડ સાહેબના દર્શનને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સવારે આઠ વાગ્યે પંજાબથી આવેલા મોગા સતનામના ગોવિંદઘાટ ગુરુદ્વારામાં પંજ પ્યારેની આગેવાનીમાં પ્રથમ ટુકડી ભૂતપૂર્વ સૈનિકોના બેન્ડની ધૂન સાથે ખંઢરિયા જવા રવાના થઈ હતી.

હેમકુંડ સાહિબ મેનેજમેન્ટ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રજીત સિંહ બિન્દ્રાએ પંજ પ્યારાઓને પવિત્ર નિશાન સરોપા અર્પણ કરીને વિદાય આપી હતી. તેમણે જણાવ્યું કે હેમકુંડ સાહિબના દરવાજા શનિવારે સવારે 10 વાગ્યે ખોલવામાં આવ્યા હતા.

હેમકુંડની યાત્રાની વાત કરીએ તો આ વખતે માત્ર એક દિવસમાં માત્ર 2 હજાર 500 શ્રદ્ધાળુઓને હેમકુંડ સાહિબની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવનાર છે.શીખોના પવિત્ર ધામ હેમકુંડ સાહિબના પોર્ટલ આજે શનિવારે ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા છે. આ સહીત યાત્રાના રૂટ પર ભારે બરફના કારણે આ વખતે 60 વર્ષથી વધુ ઉંમરના ભક્તો અને બાળકોને મુસાફરી કરવાની મંજૂરી નથી. એક દિવસમાં માત્ર 2,500 શ્રદ્ધાળુઓને હેમકુંડ સાહિબની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે.

આ સાથે જ 1800 ભક્તોની પ્રથમ ટુકડી શુક્રવારે સવારે પંજ પ્યારાની આગેવાની હેઠળ પવિત્ર પગેરું સાથે ગોવિંદઘાટ ગુરુદ્વારાથી ખંઢેરિયા જવા રવાના થઈ હતી અને શનિવારે સવારે કપાટ ખોલવાના પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા અને અહી મસ્તક ઝુકાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code